SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ સાંભળવાથી વıત્વકળા ખીલશે, વરસાદમાં ક્યાં જવું, એમ વિચારીને તો આ હજારો માણસો નથી આવ્યા ને ? તમારે તમારું જીવન પલટવાનું છે, જીવનમાં સંયમનો રંગ લાવવાનો છે. મહાન નેતા, પયગમ્બર વગેરે જે મહાન થયા છે તે સંયમથી થયા છે. આપણે આપણા આત્માને પરમાત્મા બનાવવાનો છે, પણ આપણો આત્મા પરમાત્મા ક્યારે બને ? નિષ્ઠાપૂર્વકનો સંયમ આવે તો ને ! સ્થિર બનો આજ તો વાત એ છે કે સાંભળવું કોઈને નથી. દરેકને પોતાના વિચારો બીજાને ઠસાવવા છે. માટે જ તો આજે અળસિયાની જેમ, વાદેવાદ નીકળી પડ્યા છે. વાત ત્યાં સુધી વધી છે કે સોમો જો પોતાના વિચારો ઝીલવાસાંભળવા તૈયાર ન થાય તો હાથ ઉપાડતાં પણ વિચાર ન કરે. ધારાશાસ્ત્રી ન્યાયાધીશને પોતાના વિચારો જણાવે, પણ કાંઈ સ્ટેજ ઉપર ધસી જઈને કે બોચી પકડીને સમજાવે ખરો ? પણ હું જાણું છું કે આજના નવાનવા વાદના હિમાયતીઓના વિચારો સ્થિર નથી, ઊંડા ચિંતનમાંથી પ્રગટેલા નથી, માત્ર પુસ્તકો વાંચીને ભાડૂતી ઉછીના લીધેલા વિચારો જ છે ! અને એ ભાડૂતી વિચારો પરાણે ઠસાવવાનો પ્રયત્ન થાય છે. કેટલું હાસ્યાસ્પદ છે ? તમારા વિચારો જો મૌલિક અને સુંદર હોય તો જગતના ચોકમાં મૂકો. સુંદર હશે તો એનો જરૂર સ્વીકાર થશે અને ન સ્વીકાર થાય તો ઉશ્કેરાઈ જવાની કંઈ જરૂર નથી. ઊંડા ઊતરીને વિચાર કરો કે મારા વિચારમાં શું દોષ છે કે લોકો સ્વીકારતા નથી. પણ આ વસ્તુ ક્યારે બને ? જો મન પર સંયમ હોય અને ચિત્તની સ્થિરતા હોય તો. એ વિના એટલી ધીરજ પણ ન આવે અને સારઅસારનો વિચાર પણ ન આવે. કાંટો સ્થિર હોય તો માપ (તોલ) નીકળે, પણ કાંટો હાલતા-ચાલતો ચંચળ હોય તો માપ ન નીકળે તેમ ચિત્ત સ્થિર હોય તો મહાપુરુષોનાં વચન સાંભળવામાં રસ અને આસ્વાદ આવે, તેની અસર થાય, અને પોતાના વિચારમાં રહેલી ત્રુટીઓ પણ જણાય, માટે ચિત્તની સ્થિરતા હોય તો આ જીવન સ્વર્ગ બને. અસંયમ ને પતન સંયમના શુદ્ધ અરીસામાં પછી પ્રમાણિકતા વગેરે ગુણો એમાં પ્રતિબિંબિત થાય. ભૂમિકા અશુદ્ધ હોય ત્યાં સદ્ગણોનો વાસ હોય ખરો કે ? આજની સ્થિતિ હવે તો જાગો ! - ૧૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy