SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ સારો માણસ ઉકરડે ખાટલો નાખીને સૂશે ? નહિ જ, ભલે તળાઈ રેશમની હોય, પણ ત્યાં ન સુવાય, કારણ કે દુર્ગધ મારે, તેમ પ્રામાણિકતા, સજ્જનતા, ભ્રાતૃત્વ આદિ ગુણોને લાવવા માટે પ્રથમ સંયમ જોઈએ. એ ગુણોના નિવાસ માટે ભૂમિકા શુદ્ધ જોઈએ. કાળી, મેલી, ખાડા-ટેકરાવાળી ભીંત પર ચિત્રકાર પાસે ચિત્ર દોરાવીને કહીએ કે ચિત્ર સારું નથી. એમાં એનો દોષ નથી. દોષ ભૂમિનો છે. દીવાલ ચોખ્ખી જોઈએ. ખરાબ ભીંત પર તો સારો ચિત્રકાર પણ ચિત્ર ન દોરી શકે. તેલથી ખરડાયેલાં મેલાં વસ્ત્રો પર રંગારો પણ સારો રંગ શી રીતે કરી શકે ? તાત્પર્ય એ કે દીવાલ સુંદર હોય તો ચિત્ર સુંદર થાય. વસ્ત્ર ચોખ્યું હોય તો રંગ ચઢે, જીવન વિશુદ્ધ હોય તો સગુણો વિકસે ! બ્રહ્મચારી સત્યકામી હોય જેનામાં બ્રહ્મચર્ય નહિ હોય તેનામાં બીજા ગમે તેવા ગુણો હશે તો પણ તે નિષ્ફળ જવાના. સુવર્ણવસંતમાલતી પોષક છે. સાઠ કે સિત્તેર રૂપિયે તોલાના ભાવની છે; પણ મરવા પડેલાને તે અપાય ? અને બેઆની ભાર આપો તો બે મિનિટ મોડો મરવાનો હશે તે ઊલટો વહેલો મરશે, કેમકે એનામાં પચાવવાની શક્તિ નથી. લાયકાત વિના સારી વસ્તુ પણ વિપરીત પરિણામને લાવનારી નીવડે છે. યુવકો અને યુવતીઓ માટે આ વાત અતિ જરૂ૨ની છે. બ્રહ્મચર્યના ખમીર વિના સદ્દગુણની એ ગમે એટલી વાતો કરે, તો પણ એ વાતો નિષ્ફળ અને વંધ્ય છે, વાયડી અને વ્યર્થ છે. એક દિવસ એવો હતો કે આર્યાવર્તનું પ્રત્યેક ઘર બ્રહ્મચર્યના બ્રહ્મધ્વનિથી ગુંજતું હતું. વાતાવરણ સંયમમય હતું, પણ આજે હાલત જુદી છે. બ્રહ્મચર્યનાં નીર ઓસરતાં જાય છે. રસ્તે દશ્યો કેવાં ? બ્રહ્મચર્યનું ખૂન કરી નાખે તેવાં ! સ્કૂલ-કૉલેજનું વિલાસથી ભભકતું વાતાવરણ જોઈને સંયમી વિદ્યાર્થીને તો ત્રાસ જ છૂટે ! સાહિત્ય આજનાં છબીઘરોમાં નટ-નટીના હાવભાવો, સિનેમના રૂપેરી પરદા પર ભજવાતાં ભયંકર દશ્યો અને નફટાઈની હદ આવે ત્યાં સુધી પહેરાતી વેષભૂષાઓ બ્રહ્મચર્યને પાડનાર નથી તો બીજું શું છે ? પુસ્તકના વાચનથી જ્ઞાન મળે પણ આજનાં પ્રગટ થતાં પુસ્તકો તો જાણે પ્રણયત્રિકોણનાં ચિત્રો ! નોવેલો એટલે વિલાસની પ્યાલીઓ ! આવું સાહિત્ય ઊગતાં યુવાનો અને યુવતીઓ વાંચે તો એના સંયમમાં તો પૂળો જ મુકાય ને ? ૯૬ માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy