SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અયોગ્યના હાથમાં હક્કનું મહાન શસ્ત્ર ન અપાય. અયોગ્યના હાથમાં ગયેલી વસ્તુ લાભને બદલે હાનિકારક નીવડે. વાનરના હાથમાં રહેલી તલવારની જેમ વસ્તુ સુંદર હોય તો પણ ઘણી વાર સંગના યોગે ભયંકર થઈ જાય છે. ઘી જેવી પોષક વસ્તુ પણ સો વખત ધોવાય એટલે ઝેર બની જાય છે. આથી પૌર્વાત્ય સંસ્કૃતિનું કહેવું છે કે સ્વતંત્રતાનો હક્ક યોગ્યને હોય, અયોગ્યને નહિ ! ઇન્દ્રિયો પર સંયમ ન રાખો અને સ્વતંત્રતાની વાતો કરો એમાં શું વળે ? સંયમ વગર તો સ્વતંત્ર માણસ પણ પરતંત્ર બની ગયા. પૃથ્વીરાજ સ્વતંત્ર મટી પરતંત્ર બન્યો, શાથી ? સંયમ ગુમાવ્યો ને સંયુક્તાના મોહમાં ઘેલો બન્યો તેથી ! સુંદર ચિત્ર માટે શુદ્ધ ભૂમિ જોઈએ બ્રહ્મચર્ય એ એવો ગુણ છે કે એની પાછળ બધા ગુણો તણાઈને આવે છે, જીવનશુદ્ધિ એનાથી થાય છે. સાધના એનાથી સધાય છે. દૂરની વાત તો જવા દો, પણ આ દુનિયામાં પણ નૈષ્ઠિક બ્રહ્મચારીને જોઈને સૌ કોઈ નમી પડે છે. બધા એના પર વિશ્વાસ રાખે છે, લોકો એને વંદનીય અને પૂજનીય ગણે છે. બ્રહ્મચર્ય એ મહાન શક્તિ છે. એ વિના જીવન ચેતનાહીન ગણાય. એક વિદ્વાને કહ્યું છે કે : 'Strength is life and weakness is death.' બ્રહ્મચર્યની શક્તિ એ જીવન છે, અને વીર્યહીન-શક્તિહીન જીવન એ મૃત્યુ છે ! વિકસિત ફૂલની ખુશ્બોથી ભમરાઓ જેમ ખેંચાઈને આવે છે, તેમ બ્રહ્મચર્યથી પણ બીજા ગુણો ખેંચાઈને આવે છે. સૂર્ય ઊગે એટલે લોકો કામે લાગી જ જાય છે, તેમ બ્રહ્મચર્યરૂપી તેજસ્વી સૂર્ય ઊગે એટલે બીજા સદ્ગુણો એની મેળે આપણા જીવનમાં પ્રવેશી કામ કરવા મંડી પડે છે. તમારે સદ્ગુણોને જીવનમાં વસાવવા હોય તો ભૂમિ શુદ્ધ કરો. આજે હું અહીં ભૂમિ શુદ્ધ કરવા આવ્યો છું, ઝાડુ લઈ કચરો વાળવા આવ્યો છું. કયો કચરો ? વિષય અને વિલાસનો કચરો. તેને આજે મારે સંયમના ઝાડુથી કાઢવાનો છે. તમને કાંઈ વાંધો તો નથી ને ? (જે હૉલમાં વ્યાખ્યાન ચાલતું હતું એ હૉલની ભોંય સામે આંગળી ચીંધી મહારાજશ્રીએ કહ્યું) આ હૉલમાં કચરો કાઢ્યા વિના તમે જાજમ બિછાવો ખરા ? પહેલાં તમે કચરો સાફ કરાવ્યો પછી ઉપર જાજમ પાથરી. પણ એમ ને એમ અશુદ્ધ ભૂમિ ૫૨ જાજમ નાખી હોય તો શું પરિણામ આવે ? ધૂળ જ ઊડે ને ? દુનિયામાં કોઈ Jain Education International હવે તો જાગો ! * ૯૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy