SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સફળ કરો. પ્રમાદ કરશો તો પડે છે કે હવે તો જાગો ! આ મહામૂલું ધન હારી બેસશો. માટે જ કહેવું મહાનુભાવો ! આજના વ્યાખ્યાનનો વિષય છે હવે તો જાગો !' આ વાક્ય જો ગંભીરતાપૂર્વક વિચારાય તો આજના દોઢ કલાકના વક્તૃત્વનું રહસ્ય સહજ રીતે પામી શકાય. હવે તો જાગો આમાં ‘જાગો, શબ્દ શું સૂચવે છે ? આ શબ્દ ચાનક ચઢાવનારો છે. આવું ઉત્તમ જે માનવજીવન મળ્યું છે તે સ્વાર્થના કુંડાળામાં રહી અળસિયાની જેમ જીવવા અને મ૨વા માટે નથી; પણ જીવનને અમર બનાવવા માટે મળ્યું છે. આજે તમે કેવી પવિત્ર ભૂમિમાં જન્મ લીધો છે, એનો તો વિચાર કરો. આર્યાવર્તમાં, ઉત્તમ કુળમાં ને ધાર્મિક કુટુંબમાં કે જેના માટે તમે ગૌરવ લઈ રહ્યા છો, અને ‘અમે બ્રાહ્મણ છીએ, અમે ક્ષત્રિય છીએ, અમે ણિક છીએ' એમ ગૌરવપૂર્વક બોલતા ફરો છો, પણ હું તમને જ પૂછું છું કે બોલવા માત્રથી મહત્ત્વ શું ! મહત્ત્વ છે કર્તવ્યપરાયણતાનું, સદાચારી વર્તનનું અને પ્રતિભાસંપન્ન જીવનનું. મહાન કહેવાથી મહાન ન બનાય , ‘મહાન' કહેવા માત્રથી મહાન ન બનાય. એના માટે મહાન કાર્ય કરવું પડે, જીવનને તેવું બનાવવું પડે. પિત્તળ પોતાને સોનું કહે તેટલા માત્રથી તે સોનું નથી થઈ જતું. એના ચળકાટ ઉપરથી એની કોઈ કિંમત આંકે તો એ થાપ થાય. સોનાને તો તેજાબનો તાપ ખમવો પડે, કસોટીએ ચઢવું પડે, અગ્નિપરીક્ષામાં ઉત્તીર્ણ થવું પડે, અને છતાં કાળું ન પડે તે સોનું; તેમ મનુષ્ય પણ પોતાની જાતને અગ્નિપરીક્ષામાં મૂકી, કસોટીએ ચઢાવવી જોઈએ અને તેમાં ઉત્તીર્ણ બને તો જ એ જાતિવાન કહેવાય અને મહાન ગણાય. એમાં શક્તિહીન થાય એ શી રીતે પાલવે ? Jain Education International કર્તવ્ય કરી મહત્તા સિદ્ધ કરવી પડશે, અને જગતને પડકાર કરવો પડશે કે જીવનના પ્રત્યેક પ્રકારના વાતાવરણમાં પણ કર્તવ્ય માટે અમે તૈયાર છીએ ! ગમે તેવા સમયે અમે ચારિત્ર્યથી ડગીશું નહિ, ધ્યેયથી સ્મુત થઈશું નહિ, અમારા આદર્શને પ્રાણાન્તે પણ છોડીશું નહિ. આ રીતે મહત્તા સિદ્ધ કરવા તમારી તૈયારી નહિ હોય તો ભલે ઊંચ જ્ઞાતિઓનાં નામ બોલતાં ફરો પણ માનવા કોઈ તૈયાર નહિ થાય. માણસ સારો કે ખરાબ; ઊંચ કે નીચ એ શબ્દથી નહિ, આચરણથી સિદ્ધ થાય છે. તમે પણ ઉચ્ચ હો તો સારા આચરણથી અને પવિત્રતાથી તમને પોતાને તમે મહાન પુરવાર કરો. ૯૨ : માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy