SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦. વિવેક આ પણ ના આ સ્થિતિમાં શું ભેગું કરવું અને શું છોડવું, એનો ભેદ-વિચાર કરવો એનું જ નામ વિવેક હીં ભેગી કરેલી પૌદ્ગલિક વસ્તુઓ પરલોકમાં સાથે આવવાની નથી, ૨૮૧. ઈચ્છા-શક્તિ અજ્ઞાનીની છે “કોઈ મને પોતાની અસાધારણ : આ વિરાટ શક્તિથી અથવા કોઈ અલૌકિક ચમત્કારથી મુક્તિના દ્વારમાં પ્રવેશ કરાવશે !” મોક્ષ મેળવવાની ભાવના હોય તો આ વચન હૃદયમાં લખી લેજો : મોક્ષ મેળવવા માટે આત્માની બળવાન ઇચ્છા-શક્તિ પ્રગટ્યા વિના મોક્ષ અપાવનાર સંસારભરમાં કોઈ સમર્થ છે જ નહિ ! ૨૮૨. સહનશીલતા ત મારાં દુ:ખો કેટલાં છ ? એ હું તમને નહિ પૂછું. હું તો પૂછીશ કે તમારી સહનશીલતા કેટલી છે ! એ દુઃખોનો સામનો કરવાની તમારામાં શક્તિ કેટલી છે ? કારણ કે સહનશીલતાના સૂર્ય આગળ દુ:ખનો અંધકાર દીર્ઘકાળ નહિ ટકી શકે ! ૨૮૩. કાવ્ય વન એ જ એક મહાકાવ્ય છે. એનું આલેખન અદૃશ્ય અને ગાન મૌન છે. આપણે એને આલેખી તો નથી શકતા, પણ વાંચીયે નથી શકતા, કારણ કે આપણી પાસે સહૃદયતાભરી દૃષ્ટિ નથી. શાંતિ અને આનંદ તો જ મળે જો સહ્રદયતાભરી પ્રેમદૃષ્ટિથી વિશ્વના જીવનનું વાંચન થાય ! Jain Education International ૭૨ મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy