SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬. સૂક્ષ્મ અને સ્થૂળ S: ખીની પાંખની જેમ માણસનાં પણ બે પાસાં છે. પંખી બે પાંખો વડે અનંત આકાશમાં ઊડી શકે છે, તેમ માણસ પણ આ પાસાં વડે સ્વતંત્રતાથી જીવી શકે. માનવીનાં આ બે પાસાં એટલે કે સૂક્ષ્મ જીવન અને બીજું સ્થૂલ જીવન. અંતરમાં ઉત્પન્ન થતા વિચારો એ સૂક્ષ્મ જીવન અને એ વિચારોનું જે મૂર્તિકાર્ય તે સ્થૂલ જીવન ! હવે વિચાર-જીવન સડેલું હોય તો કાર્યજીવન સારું ક્યાંથી થાય ? એટલે જ જીવનદ્રષ્ટાઓ આ બે પાસાં વચ્ચે સંવાદ સર્જવા વારંવાર ભલામણ કરે છે. ૨૭૭. પુરુષાર્થ _) ત્મા માટે સાધનો છે, સાધનો માટે આત્મા નથી જ. જે સાધનો 0 આત્મવિકાસમાં બંધનકારક હોય તેને હિંમતપૂર્વક ફગાવવાં એનું જ નામ વીર્યવાન પુરુષાર્થ ! ૨૭૮. ઊર્ધ્વગામી | મન્ત આગળ શ્વાન-વૃત્તિ અને ગરીબ આગળ વરુની વૃત્તિ ધારણ કરી જે બોલવું, એ માનવની ભાષા નથી. ભાષા સમાન હોવી ઘટે. આત્મા બંનેમાં છે, જે શ્રીમંત છે, તેવો જ ગરીબમાં પણ. બોલનારે એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે એની ભાષા ક્ષોભવિહોણી અને સ્પષ્ટ હોવી ઘટે, જેમાંથી આત્મ-સ્વાતંત્ર્યનો પ્રકાશ વાક્ય વાક્ય ઝળકવો જોઈએ, જે સ્વપ્રતિભામાંથી સર્જાયેલો હોય ! આ જ માનવીની ભાષા છે અને વિવેકથી બોલવાની રીત પણ આ છે. ૨૭૯. ક્રોધ A ળગતા પહેલાં દીવાસળી પોતાના જ મોંને બાળીને કાળું કરે છે તેમ જકોધી પોતાને બાળીને, પોતાને દુઃખી કરીને જ બીજાને દુઃખી કરે છે. જીવનસૌરભ * ૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy