SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪. મૂળથી જાય ધેલા નખ જો યથાસમયે ન કાપીએ તો એ ખરાબ લાગે, એમાં મેલ વ ભરાય અને રોગની વૃદ્ધિ કરે, તેમ વધેલી સંપત્તિ પણ યોગ્ય સમયે ન વપરાય તો માણસને વિકૃત કરે, મલિનતા આણે ને રોગ-શોકનું કારણ બને. વળી કો'ક વાર જેમ ઠેસ વાગતાં, ન કાપેલો અને ખૂબ વધેલો નખ, આખો ને આખો ઊખડી જાય છે, તેમ પૈસાને ન વા૫૨નાર પણ કો'ક વાર સમૂળગું ધન ખોઈ બેસે છે અને શોક રહી જાય છે. ܀ ૨૮૫. મહત્તા વનની મહત્તાને રાજમહેલ કે શ્રીમંતના રંગમહેલમાં નહિ, પણ નિર્જન સ્મશાનમાં વેરાયેલી કોઈ ત્યાગી અનામી આત્માની રાખની ઢગલીમાં શોધજો. ૨૮૬, વિચાર અને કાર્ય ડના એક બીજમાં એક મહાવડ છુપાયેલો છે, અને એક બીજમાં વળી Q અનેક બીજ છુપાયેલાં છે, તેમ માણસના એક નાનામાં નાના વિચારમાં પણ એક મહાકાર્ય છુપાયેલું છે, અને એ એક વિચારમાં વળી અનેક વિચાર પોઢેલા છે. આ દૃષ્ટિએ વિચારનું એક આંદોલન એક કાર્યને જન્મ આપે છે અને એક કાર્ય વિશ્વમાં અનેક કાર્યોને જન્માવે છે તળાવમાં નાખેલી કાંકરી જેમ કુંડાળાને ઉત્પન્ન કરે છે તેમ ! Jain Education International ૨૮૭. જીવનનો જાણનારો વન અંગે કંઈ પણ ન જાણવા છતાં ‘બધું જાણું છું' એમ માનનારા જીવનના અજાણ ઘણા છે, પણ જીવન અંગે ઘણું ઘણું જાણવા છતાં મૌનમાં જીવનારા જીવનના જાણકાર તો સાવ વિરલ છે. જીવનસૌરભ * ૭૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy