SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૯. અમરતાનું ગાન રે જાઉં છું – આમંત્રણ આવ્યું છે, એટલે જાઉં છું. 3 જનમ જનમના મારા જૂના સાથીઓનું જ્યોતિના સ્મિતમાં સંકેત કરતું નિમંત્રણ વાંચ્યા પછી વિલંબ કરવા હૈયું ના પાડે છે – હૃદયને મૂકીને હું અહીં કેમ રહી શકે ? – તો મારા મિત્રો ! મારા ગમન – કાળે મંજુલ ગીત-ધ્વનિ કરજો, હર્ષથી નાચજો, પ્રેમનું જળ સિંચજો, મધુર કંઠે અમરતાનું ગાન લલકારજો, અને આનંદની શરણાઈ વગડાવજો. મારું ગમન પ્રસન્નતાભર્યું છે. મારી ચેતના પુણ્યકાર્યોથી પૂર્ણ છે. મારો માર્ગ મંગળમય છે. લોકોએ પોતાની અજ્ઞાનતાથી એ માર્ગને ભલે અમંગળ કમ્યો હોય, પણ વાસ્તવિક રીતે એ અમંગળ નથી. એ જીર્ણને ખંખેરીને તાજગી લાવનાર મહામંગળ છે. ર૭૦. અર્પણ વ ! હું નિર્ધન છું. મંદિર બંધાવી શકું એવી મારી શક્તિ નથી, મારા 0 અકિંચનના હૃદયમંદિરમાં આપ નહિ પધારો ? કરુણાસાગર ! આ પ્રદેશમાં પવિત્ર જળ તો ક્યાંય છે નહિ, અને જે છે તે લોકેષણાના વેગથી ડહોળું થઈ ગયું છે, તો ધ્યાનના સરોવરમાં સ્નાન કરીને આપના નિકટમાં આવ્યો છું, તો હું નિર્મળ નહિ ગણાઉં ? આનંદસાગર ! કુસુમ તો ઉપવનમાં મળે, હું તો આજે રણમાં વસું છું. ભાવનાનું કુસુમ લઈને આવ્યો છું, તો મારી આ પુષ્પપૂજાને આપ માન્ય નહિ કરો ? અશરણના શરણ ! નૈવેદ્ય અકિંચન પાસે ક્યાંથી હોય ? મારા જીવનના નૈવેદ્યને આપના પુનિત ચરણકમલોમાં ધરું છું. પ્રેમથી એને નહિ નિહાળો ? ર૭૧. પ્રસન્ન મન ટલાક કહે છે : મયૂરનું નૃત્ય, શરદ પૂનમની ચાંદની રાત, સરિતાનો કિનારો, લીલી વનરાજી, હિમગિરિનાં ઉન્નત શિખરો, કોયલનો ટહુકો, જીવનસૌરભ * ૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy