SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૫. એક પ્રશ્ન ર્મવી અધર્મ પ્રતિ-સ્વભાવમાંથી પરભાવ પ્રતિ જતા ઓ મનવા ! તને એક પ્રશ્ન પૂછું : મૈત્રી અને પ્રેમમાંથી તું વેર અને ધિક્કાર તરફ જાય છે, પણ આગળ બેઠેલા મૃત્યુમાંથી અમરત્વમાં કેમ જઈશું ? ધ ૨૬૬. સ્વર્ગ અને નરક આ એને બદલે આપણા પણે સ્વર્ગ અને નરકમાં, આકાશ અને પાતાળમાં માનીએ છીએ, અંતઃકરણમાં જ આપણા મનમાં જ સ્વર્ગ અને નરકને જોઈએ તો શું ખોટું ? અંત:કરણમાં પ્રેમભર્યો સવિચાર હોય ત્યારે આપણે સ્વર્ગના સુખમાં નથી હોતા ? તેવી જ રીતે મનમાં કડવાશભર્યો વૈરભાવ હોય ત્યારે નરકની બેચેની નથી ભોગવતા ? કારણ કે અંતઃકરણ પર લાગેલો સદ્ કે અસદ્ વિચારોનો પટ જ અંતે માનવી માટે સ્વર્ગ અને નરક સર્જે છે. ૨૬૭. સ્પર્શ દિરનાં ખરબચડાં પગથિયાં પણ પ્રવાસીઓના સતત પગસ્પર્શથી સુંવાળાં મેં કાપા પડી જાય છે, આરસના પથ્થરમાંથી શિલ્પીના ટાંકણાથી સુંદર મૂર્તિ બની જાય છે, તો શું સજ્જનના હૃદયસ્પર્શી સૂર સંગીતથી પાપી પુણ્યશાળી ન થાય ? - ܀ Jain Education International ૨૬૮. એકાન્તનો ભય હાં, હવે સમજાયું, તમે એકાન્તથી કેમ ડરો છો ? કારણ કે એકાન્તમાં તમારાં પાપો તમને યાદ આવે છે, અને એ યાદ આવતાં તમે ધ્રૂજી ઊઠો છો, એટલે એ પાપોને ભૂલવા તો કોલાહલમાં ભળો છો અને એનો અવાજ ન સાંભળવા માટે તમે આત્મશ્લાધાની નકામી વાતોનાં ઢોલ વગાડ્યા કરો છો ! ઠીક છે, આત્માના અવાજને રૂંધવા માટે આ માર્ગ સારો શોધ્યો છે ! ૬૮ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy