SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬. અગમ્ય વાત જે નો ક્રોધ સત્યમાંથી પ્રગટ્યો હોય, જેનો ગર્વ નમ્રતામાંથી ઉત્પન્ન થયો હોય, જેની માયા ફકીરીમાંથી જન્મી હોય અને જેનો લોભ સંતોષનો પુત્ર હોય — એવો માણસ આ રહસ્યમય સંસારને વધારે રહસ્યમય બનાવે છે. ૨૫૭. શ્રદ્ધાનું દ્વાર સુ મતિ ! તેં તારા રંગમહેલના તર્કની બારી તો ખુલ્લી રાખી છે, પણ શ્રદ્ધાનાં દ્વાર તો બિડાયેલાં છે ! તારા નિયંત્રણને માન આપી આત્મદેવ તારા દ્વારે પધાર્યા છે, પણ દ્વાર બિડાયેલાં છે, એ અંદર કઈ રીતે આવે ? સુમતિ ! ઓ સુમતિ ! જલદી શ્રદ્ધાનું દ્વાર ખોલ, નહિ તો એ બહારથી પાછા વળે છે ! ૨૫૮. ફૂલની કિંમત ર્વ કંઈ તજજે પણ આત્માના આનંદને ન તજતો. આત્માના આનંદ સખાતર સર્વસ્વનો ભોગ આપવાનો પ્રસંગ આવે તો આપજે, પણ આત્માનંદને જાળવી રાખજે; કારણ કે એ આનંદ જ જિંદગીને અમર બનાવના૨ રસાયણ છે. આત્માના આનંદને ખોનાર કદાચ જગતની સર્વ વસ્તુઓ મેળવી લે, તોપણ વાસ્તવિક દૃષ્ટિએ એણે શું મેળવ્યું કહેવાય ? ખુશ્બ ચાલી જાય, પછી ફૂલની કિંમત પણ શું ? ܀ ૨૫૯. દુરુપયોગ તાની જાતને સુધાર્યા વિના બીજાને સુધારવાની ઘેલછાથી માનવીની પો થી જો પોતાની જાતને સુધારવા માટે વપરાય, તો માણસ માણસાઈનો દીવો બને Jain Education International ૬૬ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy