SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮. વાણીનું વ્યક્તિત્વ Sણા માણસો પોતાને બોલતાં આવડે છે એમ બતાવવા જતાં, પોતાને વ બોલતાં નથી આવડતું એ સિદ્ધ કરી આપે છે. ૨૨૯. આંસુનો મહિમા શ્ચાત્તાપનાં આંસુ પાડ્યા વિના એક પણ સંત ઊર્ધ્વગામી બન્યો હોય જતો ઇતિહાસમાંથી શોધી કાઢજો. ૨૩૦. શિશુપદ | વળી ક્યારે કહ્યું હતું કે પ્રૌઢત્વ મને પ્રિય નથી અને વાર્ધક્ય વેઠવું મને " પસંદ નથી ? હું તો કહું છું કે પ્રતાપી પ્રૌઢત્વ પણ આવજો ને શાણું વાર્ધક્ય પણ આવજો; પણ મારું કહેવું તો એટલું જ છે કે મારા શૈશવનો ભાવ ન જશો – જે મસ્ત શૈશવ ગરીબ અને શ્રીમંતના ભેદને પિછાણતું નથી, ફૂલ જેવા નિર્દોષ હાસ્યને જતું નથી, બૂરું કરનારને પણ દાઢમાં રાખતું નથી, હૈયાની વાતને માયાના રંગથી રંગતું નથી – એવું મધુરું શૈશવ, જીવનની છેલ્લી પળે પણ ના જશો ! સમ્રાટપદ કરતાં શિશુપદની કિંમત મારે મન ઘણી છે. ૨૩૧. પ્રેમનું દર્શન મને કપટરહિત સર્વસ્વ ઘર્યા વિના એ પોતાના સૌંદર્યમય ચહેરાનું દર્શન કોઈનેય આપતો જ નથી. ૨૩૨. સંયમ કે જડતા ? ' યમ એ તો કલ્પના અને ભાવોર્મિને નવપલ્લવિત રાખનાર નિર્મળ નીર છે. સંયમથી કલ્પનાનાં વૃક્ષો અને ભાવોર્મિની વેલડીઓ જો સુકાઈ જતી જીવનસૌરભ * પ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy