SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭. હવે તો જાગો ! ધનો સન્નિપાત શું કે માનનો મહાગિરિ શું; માયાનું તાંડવ શું કે લોભની અપાર ગર્તા શું; – એ સૌ મોહની રૂપાન્તર પામેલી લીલા જ છે, માટે આત્મન ! ચેત ! ૨૦૮. બળેલો બાળે નું જીવન ધૂળ થયું છે તે ઘણાનાં જીવન ધૂળ કરે છે. ઘણાને O બચાવવા હોય તો એવા દાઝેલાને બચાવો, નહિતર એ એક બળેલો કદાચ અનેકને બાળશે. ૨૦૯. આંસુ સુનું મૂલ્ય હાસ્યના મૂલ્ય કરતાં જરા પણ અલ્પ આંકીશ નહિ. ઘણી આ વખત જીવ માં, એક પળનું રુદન વર્ષોના હાસ્ય કરતાં મહાન હોઈ શકે. બેપરવાઈભર્યા હાસ્યથી ગુમાવેલું જીવનસત્ત્વ, પશ્ચાત્તાપના અશ્રુબિંદુથી મેળવી શકાય છે. આ દૃષ્ટિએ આંસુ કેટલું અમૂલ્ય છે ! ૨૧૦. પરિપક્વ જ્ઞાન કાન્તમાં પ્રલોભનકારી વિષયો મળવા છતાં તમારી ઇન્દ્રિયો શાન્ત રહે, એ તરફ લોભાય નહિ, તો જાણજો કે તમારું જ્ઞાન પરિપક્વ છે. ૨૧૧. મૌન S ન એ મહાશક્તિ છે. એ પરા વાણી છે. મૌનથી વિખરાયેલી શક્તિઓ કેન્દ્રિત થાય છે અને તે સંચિત થતાં વાણીમાં ચિંતનનું અપૂર્વ બળ પ્રગટે છે. આથી મૌન એ વાચાને ઓજસ્વી અને કલ્યાણકારી બનાવવાનું અમોઘ સાધન છે. મૌન ધારણ કરનારની વાણી અન્યને આનંદદાયી તો હોય પ૪ મધુસંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy