SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ છે, પરંતુ વ્યક્તિને પોતાને પણ અનેરો આનંદ આપે છે. આ હકીકત મૌન નહિ સેવનાર સમજી નહિ શકે. જે મૌન સેવે છે તેને આ સત્યનો સાક્ષાત્ અનુભવ હોય છે અને આથી જ વક્તા બનવા ઇચ્છતા યુવાનોને હું કહું છું કે વાણીમાં મૌન અને ચિંતનનું તેજ પૂરો તો વાણી સ્વ-પ૨ કલ્યાણકારી થશે. ૨૧૨. વાત્સલ્યભાવ - મને વાત્સલ્યનો અર્થ પૂછે છે ? આમ જો, તાજા જ જન્મેલા પોતાના શિશુને મૂકીને શિકારીના બાણથી ઘાયલ થયેલી હરણીની આંખમાં એ નિરાધાર બચ્ચા માટે જે વેદના મિશ્રિત અનેક સંવેદના પ્રગટે છે એવી સંવેદના જગતના નિરાધાર જીવો માટે હોય તેવો ભાવ તે વાત્સલ્યભાવ. ૨૧૩. બિનઅનુભવ Aી ણે કહ્યું : “આ તો મેં આનંદ માટે નિર્દોષ ભાવે જ આ કામ કર્યું હતું. એનું પાપ મને ન લાગે.” મેં કહ્યું : “તેં આનંદ માટે નિર્દોષ ભાવે ઝેર પીધું નથી, એટલે જ તું મને ઉત્તર આપી શકે છે !' ૨૧૪. પ્રતિજ્ઞા દિવસ તું કેમ ભૂલી ગયો ? જ્યારે તારું શરીર રોગોથી ઘેરાઈ ગયું હતું ને પલંગમાં પડ્યો પડ્યો તું આ રીતે ગણગણતો હતો : “હે ભગવાન! હું સાજો થઈશ અટલે એક પણ ખરાબ કામ નહિ કરું, પ્રમાણિક જીવન જીવીશ, પરોપકાર કરીશ, ધર્મની આરાધના કરીશ, સદાચાર ને સવિચારમાં જિંદગી વ્યતીત કરીશ.” અને આજે તું સાજો થયો એટલે એ પ્રાર્થનાને સાવ વિસરી ગયો ? ભલા માનવ ! આના જેવું બેવચનીપણું બીજું કયું હોઈ શકે? પણ હજુ કંઈ મોડું થયું નથી. સુધારી લે. જીવનસૌરભ - પપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy