SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ અને વર્તન વિચારનાં જ સંતાન છે અને એ પોતાના સંસ્કાર લઈને જ જન્મે છે. માતા-પિતા અપવિત્ર હોય તો પુત્ર-પુત્રી પવિત્ર ક્યાંથી સંભવે ? ૧૯o. નકલ મતી વસ્તુની નકલ હંમેશાં થાય છે. નાચીજ વસ્તુની નકલ કદી થતી નથી. સોનાની નકલ રોલ્ડગોલ્ડ અને સાચા મોતીની નકલ કલ્ચર થાય છે; પણ ધૂળની નકલ કોઈ કરતું નથી. તેમ ધર્મ પણ કીમતી છે એટલે એની નકલો ઘણી થાય છે. માટે ધર્મના અર્થીએ સાવધાન અને પરીક્ષક બનવાની જરૂ૨ છે. ૧૯૧. સારું તે મારું નું એટલું સારું અને નવું એટલું ખરાબ – આ વિચાર સંકુચિત 2 વૃત્તિમાંથી જન્મેલો છે; નવું એટલું સારું ને જૂનું એટલું ખરાબ – આ વિચાર છીછરા વાંચનમાંથી ઉદ્ભવેલો છે; પરન્તુ વિશાળવાંચન અને ઊંડા ચિંતનમાંથી ઉત્પન્ન થયેલો વિચાર તો આટલો જ હોઈ શકે કે – નવા કે જૂનાને મહત્ત્વ આપ્યા વિના, એ બેમાં જે સારું તે મારું ! સત્ય અને સુંદરનો સ્વીકાર. ૧૯૨. સાચો વિજય મરાંગણનો વિજયી એ સાચો વિજયી નહિ, પણ સમજ અને સંયમથી ઇન્દ્રિયો પર વિજય મેળવનાર જ સાચો વિજયી. દુનિયાને જીતવી સહેલી છે; દુનિયાને જીતવામાં વેર અને હિંસા છે. ઇન્દ્રિયોને જીતવામાં આત્મપ્રેમ અને જીવન પ્રતિ આદર છે. ૧૯૩. મૂલ્ય નવજીવનનો જેટલો સમય વસ્તુઓના સંગ્રહમાં અને એની ચિંતામાં જાય છે, એનો પા ભાગ પણ પોતે કોણ છે અને શું કરે છે તેના ૫૦ કર મધુસંચય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy