SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩. ઉદય અને અસ્ત પણાં કામો છુપાઈને કરવા પડતાં હોય તો સમજવું કે આપણે આ અસ્તાચળ તરફ ધસીએ છીએ, અને આપણા હાથે ઉજ્વલ કાર્યો થતાં હોય તો સમજવું કે આપણે ઉદયાચળ પર ચઢીએ છીએ. ૧૫૪. સાગરનાં ફીણ એ શ્ચર્ય ને દારિદ્ર; સુખ ને દુઃખ, એ તો જીવન-સાગરનાં ફીણ છે, જે મન-તરંગના ઘર્ષણમાંથી જન્મે છે, અને ઘર્ષણાન્તે એમાં જ સમાઈ જાય છે પણ પ્રેમ અને સેવા એ આપણી કમાણી છે. તે આપણી છાયા બનીને સાથે જીવે છે. ૧૫૫. સંસ્કાર પણા જીવન અને વ્યવહા૨માં મૈત્રી, પ્રમાણિકતા અને કરુણાના સંસ્કાર આ હશે તો પરિણામે સંતાનોના કુમળા માનસ પર પણ સુસંસ્કારની છાપ પડશે. સૌ પ્રા ܀ માતા-પિતા સુધરે તો સંતાનો પણ સુધરે જ. ܀ ૧૫૬. માયાજાળ મ્ય ને સુખદ દેખાતો શ્રીમન્તોનો આ સંસાર ગરીબો માટે તો ભયંકર ને દુ:ખદ છે, એ વાત સામાજિક જીવનમાં કેટલી સુસ્પષ્ટ છે ? Jain Education International ૧૫૭. સંપત્તિ રંભમાં ક્ષણિક આનંદને આપનારી, પ્રમાણિકતા વિના મેળવેલી સંપત્તિ જ, અંતે માનવીને ભયંકર ચિંતા અને વિપત્તિમાં મૂકી વિદાય લે છે. * ૪૨ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy