SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪. મૃત્યુ વેળાએ નિયાના સર્વશ્રેષ્ઠ ધનકુબેરે મૃત્યુશય્યા ૫૨ આખરી શ્વાસ લેતાં એટલું કહ્યું, તમને મૃત્યુ તો આવશે જ, પણ તમે કદી મારી માફક મૃત્યુ પામશો નહિ. મેં જીવનમાં કોઈ સત્કર્મની વાવણી કરી નથી. જીવનનો સરવાળો જ મૃત્યુ છે. આ મૃત્યુ મને અકળાવે છે. આટલું કહીને ધનકુબેરે કહ્યું કે તમને એવું મળે કે જેમાં કરુણાભર્યાં મધુર સંસ્મરણો હોય અને સ્નેહભીના પ્રસંગો હોય, જની યાદથી મરતી વખતે પણ તમારા ચહેરા પર પ્રસન્નતા હોય. આવું મરણ મારા કોટિ વૈભવો કરતાં કરોડો ગણું શ્રેષ્ઠ અને ભવ્ય હશે. ૧૪૫. ગરીબી અને અમીરી મારું દિલ ગરીબ છે કે શ્રીમન્ત ? બીજાને સુખી જોઈ, તમે જો દુ:ખી (તેથતા હો તો તમે શ્રીમન્ત હો તોપણ તમારું દિલ ગરીબ છે અને બીજાને સુખી જોઈ, તમે જો ખુશી થતા હો તો તમે ગરીબ હો તોપણ તમારું દિલ શ્રીમન્ત છે, કારણ કે ગરીબી ને અમીરી ધનમાં નથી, મનમાં છે. ܀ ૧૪૬. દીપક શી લ અને શાન્તિનો દીપક જેના હૃદયમાં જલતો છે એવી તેજસ્વી વ્યક્તિઓ જ બીજાના દિલમાં સદા-સર્વદા-સર્વત્ર ઘર કરી જાય છે. બીજા તો વીજળીના જેવો ક્ષણજીવી ચળકાટ પાથરી અંધકારમાં અદૃશ્ય બની જાય છે. Jain Education International ܀ ૧૪૭. વિચારોનો મેળો ક બાટનાં ખાનામાં નકામી વસ્તુઓ ઠાંસી ઠાંસીને ભરી રાખી હોય તો પછી એમાં ઉપયોગી અને સુંદર વસ્તુ ગોઠવવા જેટલી જગ્યા રહે નથી અને પરાણે જ્યાં ત્યાં ગોઠવીએ તો એ કચરામાં મૂલ્યવાન વસ્તુ ક્યાંય અટવાઈ જાય, તેમ મગજના ખાનામાં પણ વિકૃત વિચારો ભરાયા પછી સારા વિચારો માટે સ્થાન રહેતું નથી અને કદાચ કોઈ સુવિચાર સાંભળવામાં આવે તોય તે આ ૪૦ ગ્ઃ મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy