SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦. પ્રકૃતિ ધારણ રીતે પ્રકૃતિને બદલવાનું કાર્ય મુશ્કેલ છે, પણ પ્રબળ સીપુરુષાર્થથી એ મુશ્કેલ કાર્ય પણ સુલભ બની જાય છે. એ જાણવા પતતની ખીણમાંથી ઉન્નતિના શિખરે પહોંચેલા મહાપુરુષોની જીવનરેખાનું અવલોકન અનિવાર્ય છે. ૧૪૧. તેજોદ્વેષવૃત્તિ રખેસરખામાં જેટલો તેજોદ્વેષ હોય છે, એટલો ઊંચનો નીચ તરફ કે સનાનો ઊચ તરફ હોતો નથી. આ સત્ય સમજવા જેવું છે. ܀ ૧૪૨. માયાજાળ યા એ જાળ છે. એ દેખાય છે સુંદર, પણ છે ભયંકર. એને ગૂંથવી મેં સહેલ છે. પણ ઉકેલવી મુશ્કેલ છે. કરોળિયો પોતાની લાળમાંથી આસપાસ જાળ ગૂંથે છે, પછી એ ઉકેલી શકતો નથી. ગૂંથેલી જાળમાંથી એ જેમ જેમ છૂટવા પ્રયત્ન કરે છે, તેમ તેમ એમાં એ વધારે ને વધારે ફસાતો જાય છે. તેમ તું પણ તારી રચેલી માયાજાળમાં ફસાઈ ન જાય તે માટે સાવધ રહેજે. ૧૪૩. દુ:ખનો મર્મ જ્યારે દુ:ખમાં ઘેરી વળે ત્યારે આટલો વિચાર કરજે : એ મને માર્ગદર્શન કરાવવા કેમ નહિ આવ્યું હોય ? કારણ જે જીવનદ્રષ્ટાઓ કહે છે કે ઠોકરો પણ કોક વેળા માર્ગદર્શક હોય છે ! દુઃખ એવે સમયે તને માત્ર આટલી જ શિખામણ આપશે : ભાઈ ! આ દુ:ખ એટલે તેં કરેલાં કામનું જ પરિણામ છે. તારા અવાજનો જ પડઘો છે. Jain Education International જીવનસૌરભ * ૩૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy