SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫. ભય ત દયમાં ભયની ઊધઈ લાગી ગઈ તો શક્તિઓ કુંઠિત બની જશે. ૯ શક્તિઓને વિકસાવવા અને નિર્ભય થવા દૂર ભાગવા કરતાં એ વસ્તુઓનો પરિચય કરીએ, એનું તત્ત્વ જાણીએ, આ સમજ જ ભયને ભય પમાડશે. ૧૩૬. શિખર ને ખીણ ણ પહેલાં ઉન્નતિના શિખર પર બિરાજનાર અને ક્ષણ પછી અવનતિની ખીણમાં ખેંચી જનાર ચંચળ મનને વશ કરનાર જ જગતમાં ખરેખર કામણગારો જાદુગર ગણાય ! ૧૩૭. સ્નેહ વેકપૂર્વકનો સ્નેહ, જીવનના વિસંવાદી તત્ત્વો વચ્ચે પણ પ્રેમભર્યો સદ્ભાવ સર્જે છે, એટલે જ સ્નેહને પણ વિવેકની જરૂર પડે છે. વિવેકવિહોણો સ્નેહ તો દારૂ જેવો ભયંકર છે, જે ઘેનનો આનંદ આપીને પછી એને જ નીચે નાંખે છે. ૧૩૮. મક્ષ નની માગણીઓ અને વાસનાઓમાંથી મુક્ત થવું એ મોક્ષ. આ મોક્ષ આત્માની અનંત શક્તિઓના વૈભવના જ્ઞાનથી જ શક્ય છે. ૧૩૯. પ્રકાશ-પ્રાપ્તિ છે ણે અશ્રુ વહાવ્યાં નથી તે હાસ્યનાં મૂલ્યાંકન કેમ કરી શકશે ? કેવળ છે અંધકારમાં ઊછરેલો પ્રકાશ કેમ ઝીલી શકશે ? જેણે શ્રમ કર્યો નથી તે અન્નની મીઠાશ કેમ માણશે ? ૩૮ * મધુસંચય - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy