SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ માણસ જાગે અને આત્મશ્રદ્ધાના અજવાળામાં જુએ તો થાય કે આત્મા જ મહાત્મા છે. શુદ્ધ થયેલો મહાત્મા જ પરમાત્મા છે. જીવ જ શિવ છે. ખુદ જ ખુદા છે. આ દર્શન થતાં માણસ પોતાના મન, વચન અને કાયાની શુદ્ધિમાં લાગી જાય. આવા માણસનું અસ્તિત્વ આશીર્વાદરૂપ છે. ૧૩૨. પૂજામાં અપરાધ ર્યનાં કોમળ કિરણોનો સ્પર્શ થતાં ફૂલો આનંદથી ખીલી રહ્યાં હતાં. એ હસતાં ફૂલો અને કળીઓને ડાળથી છૂટાં પાડી, આપના ચરણોમાં લાવવાની મેં ધૃષ્ટતા કરી અને એ પુષ્પની પાંખડીમાં શાન્તિથી બેઠેલા અસંખ્ય સૂક્ષ્મ કંથવાઓની જીવનદોરી મેં કાપી, પ્રભો, મને ક્ષમા કરો. સૂ આપ નિરંજન નિરાકાર છો, એ ભૂલી ગયો, નિર્દોષ ભૂલકાં વાછરડાંઓના મોંમાંથી છીનવી લઈ એમને ભૂખ્યાં મારી શોષણભર્યા દૂધથી આપનો અભિષેક કર્યો. વળી અબજો બેક્ટેરિયાના પ્રાણ લઈ દહીનું પંચામૃત બનાવ્યું. આ અપરાધોની ક્ષમા કોણ કરશે, પ્રભો ! ܀ ૧૩૩. કોનો દોષ ? પા ૫માં ડૂબેલાને પુણ્યશાળીનો સમાગમ આનંદ ન આપે એમાં પુણ્યશાળીનો શો દોષ ? અરુણના આગમનથી જેવો આનંદ કમળને થાય તેવો આનંદ ઘુવડને ન થાય એમાં અરુણનો શો દોષ ? Jain Education International ܐ ૧૩૪. સાધકની દૃષ્ટિ લોભનના લપસણા માર્ગે સરી પડતા મનને સજ્જન મિત્ર, સદુપદેશ અને આત્મજાગૃતિની એટલી જ જરૂર છે કે જેટલી અંધારી રાતે અટવીમાં ભૂલા પડેલા પ્રવાસીને દીપક ધરનાર ભોમિયાની. ܀ જીવનસૌરભ ૩૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy