SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦. સૌંદર્યદર્શન ગુ છું પુના સુલતાનું પાન કરવામતમાં રમાયેલું દેખાય છે. ગઈ કાલે પુષ્યને આજે નયનો જોવા પણ ઉત્સુક નથી કે વિલાસનો વૈભવ કેવો ક્ષણજીવી છે ? વસ્તુઓ અને વ્યક્તિઓ કેવાં બદલાય છે ? એ બદલાય છે, કારણ કે પરિવર્તન એ સંસારની દરેક વસ્તુનો અને વ્યક્તિનો સ્વભાવ છે. આ સત્યનું દર્શન એ જ સૌંદર્યદર્શન છે. આ દર્શનથી જે છે તેને તે ક્ષણે તે રૂપે જુએ છે. એટલે એને કોઈ એવો કદાગ્રહ નથી કે આમ જ થવું જોઈએ. થવાનું હોત તો થાત જ, પણ નથી થવાનું એટલે થયું નથી. જીવવાનું હોત તો મરત નહિ. મર્યું છે કારણ કે જીવનનું આયુષ્ય પૂરું થયું છે. ૧૧૧. અમરતાનો ઉપાય વી ૨ના સપૂત ! તું મારવા માટે નથી જન્મ્યો, પણ તારા અમરત્વને જાણવા માટે જન્મ્યો છે. અમર બનવા માટે તારા જીવનનું ઉમદા ઉદાહરણ દુનિયાને આપતો જા. સ્વાર્થનું તાંડવનૃત્ય કરતા જગતને માનવતાના ૫૨માર્થમાં વિશ્રાન્તિ પમાડતો જા. માનવીના સંતપ્ત હૈયા પર દિવ્ય પ્રેમ અને વિશ્વવાત્સલ્યનાં છાંટણાં છાંટતો જા. માનવીનું ભાવિ ઉજ્જ્વળ થાય એ માટે તારા જીવનનો શુભ પ્રકાશ ધરા પર પાથરતો જા. અવિશ્વાસુ વિશ્વના હૃદયમાં, પ્રમાણિક જીવનથી વિશ્વાસની સૌરભ મહેકાવતો જા. હિંસા, વેર, ધિક્કાર અને સાંપ્રદાયિકતાના રોગથી પીડાતા માનવને તારા જીવન દ્વારા સંપ, શાન્તિ, પ્રેમ અને અનેકાન્તનો પ્રકાશ આપતો જા. જીવનને અમર બનાવવાનો આ અમોઘ અને અજોડ અવસર છે. ૧૧૨. તારણહાર કો ઈ દેવ કે અવતાર આવીને માણસનો ઉદ્ધાર કરે છે. આ માન્યતા અને શ્રદ્ધાએ માણસને કેટલો પુરુષાર્થહીન અને નબળો બનાવ્યો છે ! Jain Education International ૨૮ : મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy