SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ કોઈનો ઉદ્ધાર કરી શકે એવી શક્યતા હોત તો આટલી પ્રાર્થનાઓ અને પૂજનોથી તો માનવનો ઉદ્ધાર ક્યારનોય થઈ ગયો હોત. આટલાં લોહિયાળ યુદ્ધો અને આટલો ભૂખમરો; આટલી ગરીબી અને આટલી યાતનાઓ કોઈ તારણહાર હોત તો ન હોત. જે છે તે માણસે જે સારું કે ખરાબ કર્યું છે તેનું જ પરિણામ છે. જે બીજ વાવ્યું છે તેનાં જ આ ફળ છે. માણસ આજે પણ નવું સારું બીજ વાવી સુંદર અને સારું ફળ કાલે મેળવી શકે છે. ભૂતકાળ ગમે તેવો હોય, વર્તમાન કોરો છે. આ જ્ઞાનભર્યો પુરુષાર્થ નિષ્ફળતાને પણ સફળતામાં ફેરવે છે. ૧૧૩. વિભૂતિ ણસો ત્રણ પ્રકારના હોય છે : પહેલા પ્રકારના માણસને સંયોગો ઘડે છે, અને એ માણસ સંયોગોના પ્રવાહમાં તણાય છે. બીજા પ્રકારનો માણસ સંયોગોનો સામનો નથી કરી શકતો, તેમ તે સંયોગોના પ્રવાહમાં તણાતો પણ નથી; એટલે તે સંયોગોથી દૂર ભાગે છે અને એકાન્તમાં જઈ પોતાની સાધના કરે છે. ત્રીજા પ્રકારના માણસને સંયોગો નથી ઘડતા, પણ એ સંયોગોને ઘડે છે. અવસરે મક્કમતાપૂર્વક સંયોગોનો સામનો કરીને પણ, એ સંયોગો પર વિજય મેળવે છે. આવો માનવી જ સંયોગ પર, કાળ પર અને જગત પર પોતાની સાધનાની ચિરસ્થાયી છાપ પાડી જાય છે ! જીવનના મેદાનમાં સિદ્ધિનાં નિર્મળ નીર હાથ હાથના સો કૂવા ખોદનારને નથી મળતાં, પણ સો હાથનો એક કૂવો ખોદનારને જ લાધે છે. ૧૧૪. કોલસો કોલસાની તક લસાની કાલિમા જોઈ માણસને હસવું આવ્યું, ત્યારે માણસની શુભ્રતા જા પર કોલસાને હસવું આવ્યું. કોલસો કહે : મને હસવું આવે છે તારી બાહ્ય શુભ્રતા જોઈને ! કારણ કે મેં તો મારી જાતને બાળીને, જગતને પ્રકાશ આપીને મારી જાતને કાળી જીવનસરભ ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy