SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯. ઉદય અને અસ્ત પ્રકાશના પુંજને વર્ષાવનારા ગગનના લાડકવાયા દિવાકર ! તને લોકો પૂજે શું છે અને વિપ્રો સધ્યાવંદન કરે છે, એનું o કંઈ કારણ જણાવીશ ? હું જેમ ઉદયાચળ પર નિયમિત રીતે આવું છે, તેવી જ રીતે અસ્તાચળ પર પણ નિયમિત રીતે જાઉં છું. વળી જે પ્રકાશસ્મિત ઉદય વખતે પાથરું છું, તેવું જ પ્રકાશ-સ્મિત અસ્ત સમયે પણ પાથરું છું. મારે મન ઉદય અને અસ્ત સમાન છે ! $ ઉદય ટાણે મને અસ્તનો ખ્યાલ છે અને અસ્ત ટાણે મને ઉદયની પૂર્ણ શ્રદ્ધા છે. ઉદયમાં હું કુલાતો નથી, તેમ અસ્તમાં મૂંઝાતો નથી. મારું આ જીવનરહસ્ય મેળવવા જ પ્રજ્ઞ મને પૂજે છે અને વિપ્રો અને અર્થ આપે છે ! જીવનસૌરભ * ૨૭ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy