SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫. જીવનનો યોગ જ્યાં સંવાદિતા છે, ત્યાં સુખ છે; જ્યાં વિસંવાદિતા છે, ત્યાં દુઃખ છે. મન, વચન અને કાયા સ્વસ્થાનમાં રહી સંવાદિતાથી જીવે, એને જ મહાપુરુષો જીવનનો યોગ કહે છે. ૮૬. શક્તિનો ઉપયોગ શક્તિ હોવા છતાં કાર્ય ન કરવું, તેમાં શક્તિ ગોપવવાનું પાપ છે. દાન, જ્ઞાન, વક્તૃત્વ ઇત્યાદિ શક્તિ હોય તો ઉપયોગ કરો. શક્તિ તો જેમ વપરાય તેમ તેમાં વધારો થાય છે. ૮૭. સદ્ગુણની ત્રિવેણી મહાપુરુષો કહે છે કે સળગતા આ સંસારમાં સદ્ગુણની શીતળતા સિવાય બીજું બધું વ્યર્થ છે. દાન, વિનય અને શિયળ-સદ્ગુણોની આ ત્રિવેણીનો જ્યાં સંગમ થાય તે લોકપ્રિય નામનું તીર્થ બની જાય છે. ܀ ૮૮. મૃદુતા અને વજ્રતા પારકાનાં આંસુ, દુઃખ જોતાં ભલે તમે દ્રવી જાઓ, પણ તમારા જીવનના સંયમ, નિયમ અને અંતરાયો વેળા સામનો કરવા વજ્રતા દાખવો. આપણું કાર્ય એ છે કે અન્ય પ્રત્યે મૃદુતા કેળવી, સ્વ પ્રત્યે વજ્રતા રાખવી. ܀ Jain Education International ૮૯. મૌનનું એકાંત મૌનનું એકાંત એટલે મનની સાથે વાત. આપણે તો આજે એકાંત મનથી ડરીએ છીએ. બહાર ન જણાય એટલા વિચારો એકાંતની શાંતિમાં ફૂટી ઊઠે છે. આપણે આ મૌનની શાંતિ શીખવાની છે; તો જ આપણને આત્માનો અવાજ સંભળાશે. ૨૦ ! મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy