SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. દાનનો આનંદ ડોલતાં વૃક્ષોએ જવાબ આપ્યો : સૂરજનો તાપ સહી અમે પંખીઓને છાયા આપી; મળેલાં ફળોનું અમે માનવીને દાન દીધું; સહનશીલતા ને દાનનો એ આનંદ, અમને મસ્ત બનાવે છે. પછી એ તૃપ્તિથી કેમ અમે ન ડોલીએ ? ܀ ૮૧. મીણ જેવું હૃદય જીવનમાં નમ્રતા અત્યંત આવશ્યક છે. મીણ જેવું જેનું હૃદય ન હોય તે દુનિયાને મીણ જેવી નરમ નહિ બનાવી શકે. ܀ ૮૨. સંયોગ-વિયોગ જીવનમાં સુખ અને દુઃખ, સંયોગ અને વિયોગ બેઉ આવવાનાં છે, માટે બેઉને સત્કારો, આવકારો અને બેઉ સમયે યોગ્ય દશામાં મનને રાખો. ૮૩. ભક્તિની શીતળતા પ્રખર તાપમાં પણ ઝાડ લીલુંછમ કેમ રહી શકે છે ? કારણ, એનાં મૂળ ધરતીની શીતળતામાં રહેલાં છે. માનવીના જીવનમાં પણ એમ જ, ઉપ૨થી જીવનની તપશ્ચર્યા અને અંતરના મૂળમાં ભક્તિની શીતળતા જોઈએ. આમ બને તો માનવજીવન સદાય લીલુંછમ રહે. Jain Education International ૮૪. ધન અને વિવેક પૈસો જીવનમાં દુઃખ અને દંભ લાવે છે. પૈસો આવે એટલે ધર્મ આધો રહી જાય છે. ઘણીયે વાર પૈસો માનવીને વિવેકશૂન્યતા તરફ ધકેલી દે છે, અને આત્માની અધોગતિ કરાવે છે; માટે ધન મળે તો વિવેકથી વર્તો. મધુસંચય : ૧૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy