SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦. ભૂલની શોધ તમે ભલે બધી કરણી કરો, પ્રવૃત્તિઓ કરો, પણ પછી દરેક વેળા મનને પૂછો કે એનાથી તમારો આત્મા પ્રસન્ન થાય છે ? ન થતો હોય તો કારણ તપાસો; ભૂલ શોધી ભાવિ માટે કાળજી રાખો. ૧. દાન-ભાવનું પ્રતીક દાન તો સુંદરનું જ હોય. અને એ પણ પ્રેમથી અપાયેલું હોવું જોઈએ. એ તો આપણા દિલનું, એના ભાવનું એક પ્રતીક છે. એનાથી માણસની ચેતનાનો વિકાસ થાય છે. ૯૨. શોધની શ્રદ્ધા આપણે જે શોધવાનું છે તે શ્રવણ, મનન અને ચિંતન કર્યાથી જ મળશે. અંધારું ઘેરું છે અને માર્ગ મળવો મુશ્કેલ છે, છતાં સતત પ્રયત્નથી સફળતા મળશે જ એવી શ્રદ્ધા રાખો. ૯૩. કચરાનો સંઘરો આખા ગામનો કચરો ભેગો કરનાર માણસ, પોતે કચરો સંઘરીને ઘરમાં નથી રાખતો. કચરાને ભેગો કરી એ ઉકરડામાં નાંખે છે. તો પછી આપણે લોકોના દોષની ગંદકી આપણી સાથે લઈને શા માટે ફરવું ? ૯૪. શાંતિનો આનંદ વિચાર, કે આનંદ વસ્તુમાં રહેલો છે કે મનમાં રહેલો છે ? કલહના વાતાવરણમાં દૂધપાક પણ મીઠો મટી થાય છે. એટલે આનંદ અશાંતિમાં નથી; આનંદ તો અંદરની તૃપ્તિભરી શાંતિમાં રહેલો છે. મધુસંચય - ૨૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy