SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦. મુક્તિ -મહાલય તમારી સુષુપ્ત, ગુપ્ત શક્તિઓને પ્રગટાવો. એ વડે પછી તમે આત્માનો અંધકાર ભેદી શકશો, કેવલ્ય જ્યોત પ્રગટાવી શકશો, આઝાદ બની મુક્તિ મહાલયમાં મહાલી શકશો. ૬૧. સંયમનું કલ્પવૃક્ષ સંયમી માનવી ભલે સંસારનો ત્યાગી ન પણ હોય છતાં સંસારમાં રહી, કુકર્મોથી બચી, પોતાનું ને બીજાનું કલ્યાણ સાધી શકે છે; પોતાની જાત માટે અને જનતાને માટે કલ્પવૃક્ષ બની શકે છે. ૬૨. લક્ષ્મીનો સવ્યય જો લક્ષ્મી આમ જ ચાલી જ જવાની છે, તો પછી મારે હાથે જ એનો સદ્વ્યય શા માટે ન કરવો ? અનાથાલયોમાં એ લક્ષ્મી કાં ન ખર્ચવી ? જે જનાર છે, તે રહેનાર નથી; તો જનારને રોકવાનો અતિ પ્રયત્ન કરવો એ જ મૂર્ખતા છે. ૬૩. સાયી સહજતા જે સહજતા ઉપદેશ દેવામાં આવે છે, તે સહજતા ઉપદેશનાં તત્ત્વોને આત્મસાત્ કરવામાં જો આવી જાય તો ઉપદેશક માટે આત્મકલ્યાણનો માર્ગ સુગમ અને સરળ બની જાય. ૧૪. કલાનું મૂલ્ય કલાને સમજી, એને પચાવનાર કરતાં, કલાના કલાધર પર મોહિત થનાર અનેકગણા છે; અને તેથી જ કલા અને વિલાસનું સાધન બન્યું છે; બજારુ ચીજ બનતી જાય છે; એનાં પ્રદર્શનો ભરાય છે. પણ ખરી કલાનું મૂલ્ય તો કલા જ હોય. મધુસંચય - ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy