SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫. ક્રોધનો દાવાનળ ભયંકર ઝંઝાવાતથી જેમ રમણીય ઉપવન નષ્ટ થઈ જાય છે, ધરતીકંપથી જેમ મનોહ૨ મહેલાતોથી શોભતી નગરી, બિહામણા ખંડેરમાં પલટાઈ જાય છે, તેમ ક્રોધના દાવાનળથી હજારો વર્ષની તપસ્યાઓ, એક ક્ષણ માત્રમાં બળીને ખાખ થઈ જાય છે. ܀ ૬૬. અમૃતઝરણું કલહ અને સંતાપ ભરેલા આ જીવનવનમાં પણ માણસ ઝઝૂમતો જીવે છે, કારણ કે એના જીવનના કોઈ અજાણ્યા ખૂણામાં, પ્રેમનું કોઈ અમૃત-ઝરણું છૂપું છૂપું વહેતું હોય છે. ૬૭. ખરો કોંગ્રેસી એણે કહ્યું : ‘અમે ભલે જૈન ધર્મ નથી પાળતા પણ એ ધર્મમાં રહેલા શુદ્ધિથી ભરેલા ત્યાગને માનીએ છીએ. અમારી તો એ માન્યતા છે કે ખરો કોંગ્રેસી તે જ હોઈ શકે જે ત્યાગ, તપ અને અહિંસાનું સાચા દિલથી સન્માન કરે.’ ૬૮. વિચાર ને વર્તન જેમ પોપટ ‘રામ રામ' બોલીને બીજાને ઉપદેશ આપે છે, પણ ‘રામ’ના રહસ્યને એ પોતે સમજતો નથી એમ, આજના ગુરુઓ ઉપદેશ આપે છે ખરા પણ એના રહસ્યને જીવનમાં ઉતારતા નથી. વિચાર સાથે જો વર્તન ન કેળવાય તો એનો અર્થ શો ? Jain Education International ܀ ૬૯. ઈન્દ્રિય-વિજય રસના-ઇન્દ્રિયના સ્વાદથી ઉદ્ભવતો આનંદ ક્ષણિક હોય છે. પણ એનું પરિણામ દીર્ઘ અને હાનિકારક હોય છે. તલવાર કરતાંય રસનાએ માણસોના ઘણા વધુ ભોગ લીધા છે. આ રસના ઉપર વિજય મેળવનાર જ બીજી ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી શકે છે. ૧૬ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy