SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫. લગ્નનું જોડાણ લગ્ન એટલે બે આત્માઓના વિચારોનું જોડાણ. સાથીના દૃષ્ટિબિંદુને સહૃદયતાપૂર્વક જાણવાની ઉલ્લાસમય પ્રણયભાવના હોય તો જ લગ્ન સાર્થક થાય. ૫૬. અહિંસા અહિંસા એ સૃષિતને જળ પાતી સરિતા છે, વિખૂટાં હૈયાંઓને જોડનાર સેતુ છે, જગતને સૌરભથી પ્રફુલ્લિત કરનાર ગુલાબફૂલ છે. મધુર સંગીતથી પ્રમુદિત કરતી વસંતની કોકિલા છે. આ અહિંસા જ છે. વિશ્વશાન્તિનો અમોઘ ઉપાય. ܀ ૫૭. ભવ્ય ભાવના આ આભૂષણો તો ભાર છે. આ દેહ અલંકારોથી નહિ, પણ આચરાથી શોભે છે. આ દેહની માટીને, આવી ખાણની માટીથી મઢવા કરતાં, ભવ્ય ભાવનાથી મઢી દઈએ તો કેવું સારું ! સમષ્ટિનો સ્નેહ વ્યક્તિગત સ્નેહ એક આકર્ષણ છે, મોહનો ચમકાર છે, દિલની ઊછળતી લાગણીઓની ઉ૫૨છલ્લી ભૂખ છે; સમષ્ટિગત સ્નેહ આત્માની ભૂખને તૃપ્ત કરે છે, માણસને ઊંચકે છે, ઉપર ને ઉપર લઈ જાય છે. ૫૮. Jain Education International ૫૯. જીવનની મહત્તા જીવનની મહત્તા કાંઈ માળા, જપ, દીક્ષાનાં વર્ષોથી કે તપ ઉપર નથી અંકાતી, પણ એની માનસિક સાધના ઉપર અવલંબે છે. ૧૪ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy