SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯. અતિપ્રશંસા અતિપ્રશંસા પાપનું મૂળ બને છે. વહાલનું અતિપ્રદર્શન, સ્નેહની ક્યારીઓમાં ઘણી વાર વિષનું વાવેતર કરે છે. ܀ ૫૦. પ્રભુસ્મરણ માણસ સુખના સમયમાં જેટલી તીવ્રતાથી પ્રભુસ્મરણ નથી કરતો, એટલી તીવ્રતાથી એ દુ:ખમાં હોય ત્યારે કરે છે. ܀ ૫૧. કોણ અપરાધી અપરાધી કોણ ? વધારે સંગ્રહ કરનાર ધનિક કે સંગ્રહ વિનાનો નિર્ધન? ܀ ૫૨. જીવન-મૃત્યુ ? જીવવું ઘણું ગમે છે, પણ તે આપણા હાથમાં નથી; મૃત્યુ નથી ગમતું પણ તે સન્મુખ આવવાનું જ છે. આપણે, જે નથી ગમતું તેને ગમતું કરવાનું છે; જીવનનો મોહ છોડી, મૃત્યુની મૈત્રી કરવાની છે. Jain Education International ૫૩. માયાજાળની ગૂંથણી માનવી, ઓ માનવી ! સાંભળ કે માયા એ જાળ છે; દેખાય છે સુંદર, પણ છે ભયંક૨. એને ગૂંથવી સહેલી છે, પણ ઉકેલવી મુશ્કેલ છે. કરોળિયાની માફક તું પણ તારી રચેલી માયાજાળમાં ફસાઈ ન જાય તે માટે સાવધાન રહેજે. ૫૪. જીવનની સાધના માણસ જન્મે છે, જીવે છે, સાધના કરે છે અને છેલ્લે પ્રકાશને પામે છે. સાધના કર્યા વિના જે માત્ર ભોગમાં ને રોગમાં જ મરે છે, તે અજ્ઞાની જ છે. ܀ મધુસંચય : ૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy