SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪. આત્માનું અમરત્વ આજે વિજ્ઞાન વધ્યું છે, પણ આત્મવિજ્ઞાન વિના એ નકામું છે. વિજ્ઞાન દુનિયાને બધું અપાવશે, પણ અમરત્વ નહિ અપાવે. અમૃત તો આત્મામાંથી જ પ્રગટવાનું છે. આ દૃષ્ટિ આજના વિજ્ઞાનમાં છે ? ૪૫. જીવનની ખુમારી વિદ્યાવાનમાં જીવનની ખુમારી જોઈએ. સુખમાં કે દુઃખમાં, સંપત્તિમાં કે વિપત્તિમાં, સંયોગોમાં કે વિયોગમાં પોતાના આત્માની અને મનની મસ્તી ન ગુમાવે તે જ અભ્યાસી, તે જ વિદ્યાવાન. ૪૬. ચારિત્રની કેળવણી જ્યારે વિદ્યાર્થીઓને એમ લાગશે કે ચારિત્ર એ અમારું જીવન છે, આશા એ અમારો પ્રાણ છે. જીવનની શુદ્ધતા એ અમારું સર્વસ્વ છે ત્યારે લોકો એમની કેળવણીને વખાણશે, ત્યારે એ પ્રશંસાને પાત્ર બનશે. ܀ ૪૭. પ્રકાશ ને અંધકાર આજે જ્યાં અંધકાર દેખાય છે, ત્યાં કાલે પ્રકાશ દેખાશે. પ્રકાશ ને અંધકાર દૂર નથી. અંધકારના પડા પાછળ જ પ્રકાશ પડ્યો છે. આ પડદો ઊંચકવાની ઘડી ક્યારે આવે, તે પણ કોણ કહી શકે ? Jain Education International ܀ ૪૮. સ્નેહની તલવાર સ્નેહ એ તલવાર છે; એ જ મારે છે અને એ જ તારે છે. પ્રશસ્ત રાગ રક્ષક બને છે; અપ્રશસ્ત રાગ ભક્ષક બને છે. મ ૧૨ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy