SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૧. અંતરનું અજવાળું કે તાના અને પુત્રોની વિચક્ષણતાની પરીક્ષા કરવા શાણા પિતાએ બન્નેને એક રૂપિયો આપતાં કહ્યું, “આ રૂપિયાની એવી વસ્તુ ખરીદી લાવો કે જેથી ઘર ભરાઈ જાય.” અજાતે રૂપિયાનું સસ્તું ઘાસ લાવી ઘરમાં પાથર્યું અને ઘર ભરાઈ ગયું. અજાયે મીણબત્તી લાવી, જ્યોત પ્રગટાવી અને જ્યોતના ઉજ્જવળ પ્રકાશથી ઘર ભરાઈ ગયું. બન્નેએ ઘર ભર્યું, એકે કચરાથી, બીજાએ પ્રકાશથી. ૬૦૨. પારસમણિ Aો મનો સંદેશો લઈ, વસંતનું પ્રભાત આકાશના ક્રિીડાંગણમાં આવ્યું હતું. આ ઉષાના મુખ પરથી અંધકારનો બુરખો ઊંચકાઈ ગયો હતો. ઉપવનમાં વસંતઋત નૃત્ય કરી રહી હતી; પણ આ નગરના ધર્મવીર શેઠનો દિવસ આજ વસંતનો નહોતો, પાનખરનો હતો. લક્ષ્મીદેવીનાં પૂર આજ ઊલટાં વહેતાં હતાં. પોતાની હવેલીને ઓટલે બેસી શેઠ દાતણ કરતાં કરતાં સંપત્તિના આહલાદક પ્રકાશને જોયા પછી, નિર્ધનતાના ઓળાનું પણ સ્વાગત કરી રહ્યા હતા. વિચારતા હતા કે રથના પૈડાના આરાની જેમ સુખ-દુઃખ ઉપર-નીચે થયાં જ કરે છે. એમાં શોક કઈ વાતનો ! એ દિવસ બદલાયો, ઘડી પલટાઈ. સંપત્તિની વસંતઋતુ ગઈ અને પાનખરના દિવસો દેખાઈ રહ્યા હતા, એ તો દિવસ પછી રાતની જેમ સ્વાભાવિક છે ! એમાં મૂંઝાવું શાને ? - સૂર્યાસ્ત થઈ ગયો હતો. પંખીઓ માળામાં સંતાઈ ગયાં હતાં. પૂનમની રાત હતી. ચાંદની સી પર અમીધારા વર્ષાવી રહી હતી. એને મન ઉચ્ચ કે નીચ, શ્રીમંત કે ગરીબનો ભેદ નહોતો ! આ વરસતી ચાંદનીમાં ગરીબોના વાસમાં, દુઃખિયારા ગરીબો ટોળે મળી, પોતાના સુખદુઃખની વાતો કરી રહ્યા હતા. નગરના દાતાઓમાં શ્રેષ્ઠ કોણ ?' એ આ અભાગિયાઓની ચર્ચાનો વિષય હતો. એકે કહ્યું : “અમુક શેઠ તો દાતાનો અવતાર કહેવાય. એને ત્યાં જે જાય તે ખાલી હાથે પાછો ન જ આવે. જમનારા થાકે પણ તે જમાડતાં ન થાકે.” બિંદુમાં સિંધુ ૨૯૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy