SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો કહે : ‘ફલાણા શેઠની વાત જ ન થાય. એ તો રાજા કર્ણનો અવતાર છે. આપવા માંડે ત્યારે ખિસ્સામાં હાથ નાંખતાં જે આવ્યું તે મુઠ્ઠી ભરીને આપી દે. ગણતરીની વાત જ નહિ. ધન્ય છે એનાં માતાપિતાને !' ત્રીજો કહે : ‘એ સૌ કર્ણના અવતાર ! પણ આપણા ગામના ધર્મવીર શેઠ તો પારસમણિ છે. એમને તો લોઢું અડે તોય સોનું થઈ જાય એવું એમનું દાન-પુણ્ય. એમનાં એક વારના દાનમાં તો બંદાનો બેડો પાર થઈ ગયો. કળજુગમાં એમના જેવા દાતા ન થયા, ન થશે.' આ દરિદ્રોના વાસમાં રહેતી સતા નામની ડોસીના કાનમાં આ છેલ્લા શબ્દો પડ્યા અને એ ચમકી ગઈ. એ દુઃખિયારી હતી, વૃદ્ધા હતી. જુવાનજોધ બે દીકરાઓને એણે સ્મશાનમાં વળાવ્યા હતા. એનો ત્રીજો દીકરો સાધન વિના માંદગીમાં ટળવળતો હતો. પુત્રના માંદલા ને દર્દ ભરેલ ચહેરા સામે અનાથ નજરે જોતી, એ જીવી રહી હતી. આમેય ડોશી ઘણાં વૃદ્ધ હતાં. એમાં આ ઉપરાઉપરી દુઃખના જખમોએ એની વૃદ્ધાવસ્થામાં ઉમેરો કર્યો હતો. હવે તો યાચવા જવા જેટલીય શક્તિ એનામાં રહી ન હતી. પણ, આ છેલ્લા શબ્દો સાંભળતાં એની આશાના તંતુ લંબાયા. ડોસીએ હતી એટલી હિંમત એકત્રિત કરી, ડાબા હાથમાં ટેકા માટે લાકડી લીધી. જમણા હાથમાં એક લોખંડનો ટુકડો લીધો. શ્વાસ લેતી, હાંફતી, ધીમે ધીમે પેલા શેઠની હવેલીએ પહોંચી. વિચારનિદ્રામાં ડૂબેલા શેઠના જમણા પગે ડોસી લોખંડનો ટુકડો અડાડવા ગઈ, ત્યાં શેઠ એકદમ ચમકી ગયા: ‘અરે ડોસી ! આ તું શું કરે છે ?' ડોસીની આ વિચિત્ર ચેષ્ટા જોઈ શેઠે કડકાઈથી પૂછ્યું. આ શેઠ ! લોકો વાતો કરે છે કે, આપ પારસમણિ છો. આપના સ્પર્શથી તો લોખંડ પણ સોનું થાય શેઠ ! સાંભળી, અભાગિણી એવી હું, આનો અખતરો કરવા આવી છું. શેઠ ! માફ કરજો, ગરીબ ને ગરજવાનને અક્કલ હોતી નથી. આમાં હું તો ગરીબ અને ગરજવાન બંને છું. એટલે મારામાં તો અક્કલ હોય તો ચાલી જાય. શેઠ ! હું કેવી પાપિણી છું કે હજુ હું જીવું છું. મારા બે દીકરા તો દવા અને ધ વિના ટળવળી ટળવળીને મરી ગયા. હવે મારો છેલ્લો દીકરો પણ માંદગીમાં છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. એટલે ચાલવાની તાકાત નહોતી તોય ધનની આશાથી આપ જેવા મોટા માણસ પાસે ચાલીને આવી છું. લોખંડને સોનું કરવા મેં આપના ચરણે સ્પર્શ કર્યો છે, તો અલ્લાની ખાતર માફ કરો.' શેઠની કડકાઈ જોવા છતાં ધ્રૂજતાં ધ્રૂજતાં ડોસીએ બધું કહી નાખ્યું. Jain Education International ૩૦૦ : મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy