SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ એ એકદમ ગભરાયો. મૌન રહ્યો. પ્રિયદર્શીએ કહ્યું : ‘હું તને અભય આપું છું. તું સત્ય કહે. મારા માથાથી પણ, લોકો તો ખરીદતી વખતે ઘૃણા જ અનુભવે ને ?' ‘હા, મહારાજ ! આપનું માથું પણ કંટાળાજનક બને. એનેય કોઈ ન ખરીદે !' કંપતા અમાત્ય યશે કહ્યું. મૂળ વાત ઉપર આવતાં ને જૂની વાતને સંભારતાં પ્રિયદર્શીએ મિષ્ટ શબ્દોમાં કહ્યું : ‘મરી ગયા પછી મારા માથાથી પણ કંટાળો જ આવવાનો હોય, એનાથી પણ લોકો ઘૃણા જ પામવાના હોય, તો જીવતાં આ માથું શ્રમણોના ચરણોમાં નમાવું એમાં મારું ગૌરવ શું હણાઈ જવાનું હતું ? અને એમાં તને અનુચિત શું લાગતું હતું ? ‘જાતિ ગમે તે હોય, પણ તે શ્રમણ તો છે ને ? મારું નમન જાતિને નથી, પણ એના શ્રમણત્વને છે !' ૫૯૯. મૈત્રીનું માધુર્ય એ કુશળામાં બે વિદ્યાર્થીઓ સાથે બળના હતા. પુષ્પ અને પરિમલ વી ક બન્યો, બીજો પ્રધાન બન્યો. એ પછી વર્ષો વીત્યાં. બંને જુદી જુદી દિશામાં આગળ વધી રહ્યા હતા. એક દિવસ પ્રધાનની પત્ની ચિન્તકને મળવા આવી, એણે કહ્યું : ‘તમે તમારા મિત્રને હમણાં મળવા કેમ આવતા નથી ?' ચિન્તકે સહાનુભૂતિ બતાવતાં કહ્યું ; ‘હમણાં તો મારા મિત્રને ઘણાય મળવા આવે છે. હું એક ન મળે તોય ચાલે. હું તો તેને ત્યારે જ મળીશ જ્યારે એ ચૂંટણીમાં ઊડી ગયો હશે. આજે ઝૂકીને સલામ ભરનારા અને ત્યાં ડોકાતાય નહિ હોય અને મારા એ મિત્રનું હૈયું નિરાશા એને વ્યથાથી ભારે થયેલું હશે, ત્યારે ઉત્સાહનું ઔષધ અને આશ્વાસનનો મલમપટ્ટો લઈ, એના ઘાને રૂઝવવા હાજર થઈશ.' મિત્રનો ધર્મ હાસ્યનો કોલાહલ વધારવામાં નથી, દુઃખનાં આંસુ લૂછવામાં છે ! Jain Education International બિંદુમાં સિંધુ ૨૯૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy