SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ પણ એને માતૃત્વ પ્રાપ્ત થતાં, એનું વક્ષસ્થળ દૂધથી છલકાઈ જાય છે; કારણ કે એના હૈયામાં એના શિશુ માટે વાત્સલ્ય જાગ્યું હોય છે. મહાવીર ! તારા તો અંગેઅંગમાં જગતના જીવો માટે વાત્સલ્ય ભર્યું છે ! એક બાળક માટે વાત્સલ્ય જાગતાં માતાનાં વક્ષસ્થળમાંથી દૂધ ઝરે તો જગત આખાનાં પ્રાણીઓ માટે વાત્સલ્ય ધરાવનાર તારાં અંગેઅંગમાંથી દૂધધારા કેમ ન હવે...! પણ આ વાત સર્પને કેમ સમજાય ! એ તો આશ્ચર્યમાં પડી જાય છે. ત્યાં રૂપેરી ઘંટડી જેવી વાણી પ્રગટે છે : બૂઝ, ચંડકૌશિક, બોધ પામ. તું કોણ હતો ? અને આજ કોણ છે ? ગતજન્મમાં તું સાધુ હતો, પણ ક્રોધને લીધે હું સાધુ મટી સર્પ થયો. ત્યાગી મટી ભોરિંગ થયો. ભાઈ ! આ ક્રોધનું કડવું પરિણામ છે, માટે બોધ પામ !' ફણા માંડીને બેઠેલો નાગ એમ જ થંભી જાય છે. એ આ તેજોમૂર્તિને જોયા જ કરે છે, જોયા જ કરે છે ! એની વાણીમાં અમૃત છે. મુખ ઉપર લાખ લાખ ઉષાનાં તેજ છે. આંખમાં પવિત્ર પ્રેમ છે. આ મહામાનવના ચિંતનમાં જ નાગને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. પોતે પૂર્વજન્મમાં સાધુ હતો તે સાંભરી આવે છે, પછી તો એ પ્રભુ મહાવીરના ચરણોમાં માથું ઢાળી દે છે અને અબોલ સર્પ મનમાં જ પ્રતિજ્ઞા કરે છે: ‘આજથી હું મારું માથું દરમાં રાખીશ, શરીરનો ભાગ રાફડાની બહાર રાખીશ અને આવેલી વિપત્તિને સમભાવથી સહન કરીશ.' હવે સૌ આ માર્ગે આવે છે. નાગદેવને શાન્ત જોઈ સૌ એમની પૂજા કરે છે. કોઈ એમના પર દૂધ રેડે છે, કોઈ ઘી રેડે છે, એને લીધે કીડીઓ ઊભરાય છે. નાગદેવના શરીરે કાણે-કાણાં પાડી, એનું શરીર ચાળણી જેવું કરી મૂકે છે, છતાં નાગ શાંત રહી વિચારે છે : ‘જીવ ! આજ સુધી તેં ઘણાને ડંખ માર્યા, તો તું બીજાના ડંખ પણ સહી લે. તેં બીજાના જીવ લીધા છે, દુઃખ આપ્યું છે, તો આજ તું શા માટે અકળાય છે ?' આવા ઊંચા વિચારોમાં સર્પ મૃત્યુ પામી આઠમા દેવલોકમાં જાય છે. વર્ષો પછી આ ફરી માર્ગ પર લોકોનો પગરવ ચાલુ થયો છે. ઉજ્જડ ધરતી હસી ઊઠી છે. નગરજનો સાથે ગોપાળો વાતો કરતા જાય છે અને રાફડો આવે છે ત્યારે સૌ બોલી ઊઠે છે : ધન્ય મહાવીર ! ધન્ય નાગદેવ ! ધન્ય એ અહિંસાને જેણે હિંસા ઉપર વિજય મેળવ્યો ! Jain Education International ܀ બિંદુમાં સિંધુ * ૨૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy