SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. સત્સંગ ને સંતસંગ સંત કવિએ કહ્યું છે કે “એક ઘડી, આધી ઘડી' ચોવીસ કલાક તું ખાવામાં, પીવામાં, રસમાં, રંગમાં ને રાગમાં વિતાવે છે પણ તું એક ઘડી સત્સંગ કે સંતસંગમાં ગાળે છે ખરો ? ૩૫. બંધનમાંથી મુક્તિ શરીરને બાંધનારાં બંધનો કદાચ છોડી શકાશે, પરંતુ મનને બાંધનારાં પાતળાં બંધનાને તોડવાં બહુ મુશ્કેલ છે. આ બંધનમાંથી છૂટવું, એ જ માનવજીવનનો હેતુ છે. આ કામ એકલા સાધુઓનું જ નથી; સંસારીઓનું પણ છે. ૩૬. મંત્રરૂપ શબ્દ જ્યારે શબ્દની પાછળ વિચારનું બળ હોય, ચિંતનનું તત્ત્વ હોય, જીવન સમસ્તનું મંથન હોય અને જીવનના ઊંડા ભાવો હોય ત્યારે એવો શબ્દ મંત્રરૂપ બની જાય છે. ૩૭. ઈન્દ્રિયોની કેળવણી સવાર તોફાની ઘોડાને કેળવીને કાબૂમાં લે છે. પણ તેને મારી નાખતો નથી, કારણ કે અંતે એ જ ઘોડો કામ આપવાનો છે. આપણે પણ આપણી સ્વચ્છંદી ઇન્દ્રિયોને કેળવીને સંયમમાં લાવવાની છે; એનો નાશ કરે નહિ ચાલે. ૩૮. વિકાસની છબી હું તમને પૂછું છું કે તમે તમારા દિલના દીવાનખાનામાં કોની છબી ટાંગી છે ? રામની કે રમાની ? ધર્મની કે ધનની ? વાત્સલ્યની કે વાસનાની ? દિલમાં વિકાસની છબી ટાંગો, નહીં તો ત્યાં વિલાસની છબી એની મેળે ટિંગાઈ જશે. ૧૦ મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy