SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ રહ્યું છે. ક્રોધ, માન, માયા અને લોભ - આ ચાર મહાન ધૂર્તે છે. એ તમને મોહની મદિરાનું પાન કરાવી, તમારા જ હાથે જ તમારી અમૂલ્ય સંપત્તિઓનો નાશ કરાવી રહ્યા છે, માટે ચેતો ! જાગ્રત બનો ! અને એ ધર્મોથી સાવધ બનો.” આ સચોટ ઉપદેશ સાંભળી ભક્તો હાથ જોડી કહેવા લાગ્યા : નાથ ! આપ શક્તિમાન છો, આપ આ ધૂર્તોનો સામનો કરી શકો છો, પણ અમે નિર્બળ છીએ. ધૂર્તો સબળ છો, અમારાથી એમનો સામનો કેમ થઈ શકે ? અમારા માટે આ કાર્ય કઠિન છે. ઘણું જ અઘરું છે. આપ તો સમર્થ છો. આપની સરખામણી અમારાથી કેમ થાય ? લોકોની દીનતાભરી વાણી સાંભળી, આ દીનતાને ટાળવા પ્રભુએ વીર ઘોષણા કરી : “મહાનુભાવો ! આવી દયાજનક વાચા ન ઉચ્ચારો. શત્રુઓ પાસે આવી નિર્બળ વાતો કરશો તો એ તમારો નાશ કરશે. હું પ્રત્યક્ષ જોઈ રહ્યો છે કે તમારો આત્મા બળવાન છે, વીર્યવાન છે, અનન્ત શક્તિઓનો ભંડાર છે. તમારો અને મારો આત્મા શક્તિની દષ્ટિએ સમાન છે, માત્ર ફરક એટલો જ છે કે તમારા પર કર્મનો કચરો છે, અને મારા આત્મા પરથી એ કચરો દૂર થયો છે. તમે પણ પ્રયત્ન કરી એ મલિનતાને દૂર કરો અને પૂર્ણ-પ્રકાશી બનો. કાયરતા છોડી મર્દ બનો. ખડકની પેઠે અડગ રહો. ક્રોધ વગેરે શત્રુઓની સામે બળવો પોકારો. હું તમને સમરાંગણમાં વિજય મેળવવાની ભૂહ-રચના બતાવું.” આ મંજુલ વાણી સાંભળી લોકો પ્રસન્ન બન્યા. જીવનવિકાશની નૂતન દૃષ્ટિ જાણવા બધા ઉત્સુક બન્યા. કદી ન ભુલાય તેવો મનોહર સ્વર ત્યાં ગુંજી રહ્યો. હે દેવોને પણ પ્રિય જનો ! આ જીવન કેવું ક્ષણભંગુર છે, તેનો જરા વિચાર કરો. યૌવન પુષ્પોની જેમ કરમાઈ જનારું અસ્થાયી છે. સંપત્તિ વીજળીના ચમકારાની પેઠે ક્ષણિક છે, વૈભવ સંધ્યાના રંગની જેમ અસ્થિર છે. સંયોગો મંદિરની ધ્વજાની પેઠે ચંચળ છે. આયુષ્ય પાણીના પરપોટાની જેમ અશાશ્વત છે. સંસારમાં માત્ર ધર્મ જ એક એવો છે કે જે સ્થાયી છે, અંધ છે, શાશ્વત છે. આ ઉત્તમ ધર્મ પાળવા માટે ધર્માન્ધતાને છોડવી જ પડશે. ધર્માન્યતાને છોડ્યા વિના સત્ય ધર્મ મળવો મુશ્કેલ તો શું, પણ અશક્ય છે !” “ધર્માન્વેતાએ સત્ય ધર્મને ગુંગળાવી નાખ્યો છે, માનવોને અંધ બનાવ્યા છે. આ અબ્ધતામાંથી કલહ અને કંકાસનું સર્જન થયું છે. આ ધર્માધતાથી મહાયુદ્ધો થયાં છે. માનવી, માનવીનો શત્રુ થયો છે. આ જ અંધતાને લીધે જ્ઞાન પણ અજ્ઞાનમાં ફેરવાઈ ગયું છે. હિંસા પણ અહિંસાને નામે પ્રગટી છે પાપ પણ પુણ્યના નામે જીવતું થયું છે. અધર્મ ધર્મને બહાને પ્રગટ થયો છે; માટે સત્ય ધર્મ મેળવવાનો અમોઘ ઉપાય બતાવું છું, તે પ્રમાદ તજી સાંભળો.” ૨૪o * મધુસંચય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy