SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ અનુપમ છે, આપનાં ત્યાગ, તપ અને વૈર્ય અજોડ છે ! આપની જોડ આ વિશ્વમાં લાધે તેમ નથી. આપની પ્રશંસા ઇન્દ્ર કરી, પણ હું અધમ એ ન માની શક્યો. અને આપની પરીક્ષા કરવા આવ્યો; પણ આજે મને એ પૂર્ણ સત્ય સમજાયું કે, મારા જેવા અધમો પોતાના મનની કલુષિતતાથી જ આપના જેવા મહામાનવના ગુણો સમજી શકતા નથી, અને ઈર્ષા અને અભિમાનથી પોતાની જાતને જ મહાન મનાવવાનો પ્રયત્ન કરતા પરિભ્રમણ કરે છે. આપ જગતના પિતા છો, વિશ્વબંધુ છો, અધમોદ્ધારક છો, અને તારક છો. હે કરુણાસાગર ! મારા અપરાધની ક્ષમા કરો. હું નીચ છું – અધમ છું – પાપી છું. મારો ઉદ્ધાર આપના જ હાથમાં છે. નાથ ! માટે મને તારો !” આવા અઘોર અને ભયંકર અપરાધ કરનારા સંગમ પર પણ વિશ્વબંધુ આ વિરલ વિભૂતિએ તો પોતાની અમૃત ઝરતી આંખોમાંથી કરુણાની વર્ષા જ આરંભી ! એમની વૈરાગ્ય-ઝરતી આંખોમાંથી વાત્સલ્યનું ઝરણું ઝરવા લાગ્યું. એ પુનિત ઝરણામાં સ્નાન કરી, ભારે હૈયે સંગમ પોતાના સ્થાન ભણી સંચર્યો ! સંગમે કરેલાં અનેક દુઃખો વેઠ્યા પછી ફરી એમણે આર્ય અને અનાર્ય – વજભૂમિ ભણી વિહાર આદર્યો. સાડાબાર વર્ષ સુધી મૌનપણે ઘોર તપશ્ચર્યા કરી. આ દિવસોમાં તેમના પર અનેક વિષમ વિપત્તિનાં વાદળાં એક પછી એક તૂટવા લાગ્યાં. છતાં એમણે ધૈર્ય, સહિષ્ણુતા અને શાંતિપૂર્વક એમને પ્રસન્ન મુખે આવકાર આપ્યો. - આમ અનેક યાતનાઓના દાવાનળમાં આ તેજસ્વી વિરલ વિભૂતિનાં કર્મો બળીને રાખ થયાં, અને એમનો આત્મા અનંત સૂર્યના પ્રકાશથી પ્રકાશી ઊઠ્યો. કેવળજ્ઞાન વ્યાપી રહ્યું અને અંધકારનો નિતાંત નાશ થયો. પૂર્ણ આત્માના પૂર્ણ પ્રકાશથી દિશાઓ વિલસી રહી. આ રળિયામણા સમયે એમના મુખકમળ પર અખંડ આનંદ, વિશ્વ વાત્સલ્ય ને શાંત ગાંભીર્યનો ત્રિવેણી સંગમ જામ્યો ! સાડાબાર વર્ષ સુધી સેવેલા મૌનનું દિવ્ય તેજ આ વિરલ વિભૂતિના શરીરના રોમાંચો દ્વારા ફુવારાની જેમ વસુંધરા પર પ્રકાશ પાથરી રહ્યું. વર્ષોને અત્તે એમનો મેઘ-ગંભીર મંજુલ-ધ્વનિ સાંભળીને શું દેવો કે શું દાનવો, શું માનવો કે શું અજ્ઞ પ્રાણીઓ; બધા એમની નિકટમાં આવવા લાગ્યા. એમનો ઉપદેશ સાંભળવા એ બધા અધીરા બન્યા. શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ જેવા સમર્થ અગિયાર જ્ઞાનીઓની શંકાનું, સમાધાન કર્યું, એમનો ગર્વ ગળ્યો. એ શિષ્ય થયા અને પ્રભુની જ્ઞાનધારાનું પાન કરવા લાગ્યા. આ વિરલ વિભૂતિએ જ્ઞાનની મેઘધારાનો પ્રારંભ કર્યો: મહાનુભાવો ! જાગે ! વિલાસની મીઠી નિદ્રામાં કેમ પોઢ્યા છો ? તમારું આત્મિક-ધન લૂંટાઈ ભવનું ભાતું કે ૨૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy