SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીસ વર્ષ સુધી સૌરભવાળાં તરુવરોની શીતળ છાયામાં વિહરનાર માનવી, અખંડ અગ્નિ ઝરતા તડકામાં તપે, પુષ્પોની નાજુક શય્યામાં પોઢનાર માનવી, કંટક પર કદમ ભરે, લાખ્ખોની સલામો ઝીલનાર માનવી, ટૂંક અનાર્યોનાં અપમાન સહે; આ કાર્ય કેટલું કપરું છે, એ તો અનુભવીનું હૈયું જ વેદી શકે – અને તે આવી વિરલ વિભૂતિનું હૈયું જ ! * એમણે સાધના આદરી, તો સામે એમની કસોટી થવા લાગી. એક દિવસ સ્વયં ઇંદ્ર મહારાજાએ મુક્ત કંઠે પ્રશંસા કરી : ‘આજે ભારતવર્ષમાં એક વિરલ વિભૂતિ છે કે જે મરણથી ગભરાતી નથી અને જીવનથી હર્ષ પામતી નથી. જેને સુખનાં મનોજ્ઞ સાધનો ખુશ કરી શકતાં નથી અને દુઃખનાં ભયંકર સાધનો મૂંઝવી શકતાં નથી. એ મહાવિભૂતિની દિવ્ય તપશ્ચર્યા આજે વિશ્વમાં અજોડ છે !' આ પ્રશંસામાં કોઈ સામાન્ય માનવીના ત્યાગ, તપ અને ધૈર્યની કેવળ અતિશયોક્તિ જ કરવામાં આવી છે, એમ ત્યાં સભામાં બેઠેલા ઈર્ષાળુ સંગમે માની લીધું, અને સાથે સાથે નિશ્ચય કરીને ઊઠ્યો કે, એ પામર માનવીને ત્યાગ, તપ અને ધૈર્યમાંથી ચલિત કરીને, ઇન્દ્રની પ્રશંસાને અસત્ય બનાવું. આ નિશ્ચય કરતાં જ સંગમ દેવ મટી દાનવ બન્યો, અને એ વિરલ વિભૂતિ પાસે આવ્યો. આ વિભૂતિને ધ્યાનમાંથી અલિત કરવા સિંહનું રૂપ ધારણ કરી માનવહૈયાંઓને વિદારી નાખે એવી સિંહગર્જનાઓ કરી જોઈ ! પ્રલયકાળના મેઘનું રૂપ ધારણ કરી વીજળીઓના કડાકાભડાકા કરી બ્રહ્માંડના કાન ફોડી નાખે એવા અવાજોના અખતરાઓ પણ કરી જોયા. અને છેલ્લે સર્વ શક્તિઓ કેન્દ્રિત કરી ભયંકર રાક્ષસનું રૂપ ધારણ કરી, એ વિરલ વિભૂતિ પર ત્રાટકવાનો પ્રયોગ પણ કરી જોયો; પણ એ બધું નિષ્ફળ નીવડ્યું ! આવા પ્રલયના ઝંઝાવાત અને ચક્રવાત વચ્ચે પણ જેમનો ધૈર્યદીપક અચલ રીતે ઝળહળતો જોઈ, સંગમ સ્તબ્ધ થઈ ગયો. એના અભિમાનના ચૂરેચૂરા થઈ ગયા. અભિમાન ગળતાં જ પોતે આચરેલા પાપનો પશ્ચાત્તાપ થવા લાગ્યો. એ વિરલ વિભૂતિ પ્રત્યે આચરેલા અયોગ્ય વર્તનથી એના હૈયામાં પશ્ચાત્તાપનો ભડકો ભભૂકી ઊઠ્યો, અને પોતાની જાતને ધિક્કારતો એ વિભૂતિના ચરણોમાં પડી, અંજલિપૂર્વક દીન સ્વરે ક્ષમા માગવા લાગ્યો. ‘પ્રભો ! આપ શૂરવીર છો, ધીર છો, ગંભીર છો. આપનું આત્મિક બળ Jain Education International ૨૩૮ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy