SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ મનોહર પક્ષીઓ મનોજ્ઞ ગીત ગાવા લાગ્યાં. શુભ્ર વસ્ત્રધારિણી સરિતા, પૂર્ણ સ્વાસ્થ્યથી ઝડપભેર મધુર હાસ્ય કરતી, સાગર ભણી સરવા લાગી. વિશાળ આકાશમાં પરિભ્રમણ કરતા પ્રભાતના સૂર્યનો કોમળ પ્રકાશપુંજ, ધરા પર વર્ષવા લાગ્યો, અને અવિરત નરકની યાતના ભોગવતાં પીડિત હૈયાં પણ ક્ષણભર શાન્ત અને સુખના મુક્ત વાતાવરણમાં વિહરવા લાગ્યાં. વાતાવરણ કાંઈક અલૌકિક હતું ! આ વિરલ વિભૂતિ યૌવનમાં પ્રવેશતાં સ્વયં દેવેન્દ્રો એમનાં દર્શનાર્થે આવ્યા. મહાન ભૂપાલો અંજલિપૂર્વક એમની સામે શિર ઝુકાવીને નમન કરવા લાગ્યા; અનેક માનવો એમની સેવામાં હાજર થયા, અને વિશ્વનો વૈભવ એમના ચરણોમાં ખડકવા લાગ્યા. એ દિવસોમાં એમના યૌવનનો રંગ જામ્યો. સંસારનો રંગ ખીલ્યો. યશોદા જેવી જેમને શીલસંપન્ન પ્રિયા મળી, અને પ્રિયદર્શના જેવું સંસ્કારી સંતાન પણ જન્મ્યું, પણ આ બધું એ વિરલ વિભૂતિને મન પુણ્યરૂપી રોગનો લય કરવા માટે ઔષધરૂપ જ હતું. આમ કરતાં ત્રીસ વર્ષનાં વાણાં તો પાણીના પ્રવાહની પેઠે વહી ગયાં. માનવીને સુખના દિવસો કેટલા સોહામણા લાગે છે ! દુનિયાના સદ્ભાગ્યના એક મનોહર પ્રભાતે આ વિરલ વિભૂતિએ વૈભવથી ઊભરાતાં રાજમંદિરોનો અને વહાલસોયાં સ્નેહીઓનો ત્યાગ કરીને, મહાભિનિષ્ક્રમણ કર્યું; કારણ કે દુનિયા એમને દુઃખથી છલકાતી દેખાઈ. દુનિયા જ્યારે દુઃખથી રિબાતી હોય ત્યારે આ કોમળ હૈયું સુખમાં કેમ વિલસી શકે ? આ વિરલ વિભૂતિના વસમાં વિયોગની વેધક વાંસળી વાગી અને ક્ષત્રિયકુંડ ગામના ઉપવનમાં એક અજોડ કરુણ દૃશ્ય જામ્યું. આ દશ્ય આ જીવનસમર્પક વિરલ વિભૂતિની વસમી વિદાયનું હતું. આ દૃશ્ય અનાથ હૈયાંઓની કોમળ લાગણીઓથી છલકાતું હતું. આ દશ્ય વચ્ચે હૃદયવિદારક ઘેરાં ડૂસકાં અને સાચાં આંસુ પણ હતાં. હા ! આકરી વિદાય કોમળતાપૂર્વક ભજવાતી હતી. આ વિદાયના દૃશ્યમાંથી વાત્સલ્ય અને કરુણાની ધાર ટપકતી હતી અને આ વસમી વિદાયની વાંસળીમાંથી હૈયાને હચમચાવી મૂકે એવા કરુણ અને વેધક સૂરો વારંવાર આવી નાજુક હૈયાંઓને વ્યથિત કરતા હતા. પોતાના લઘુ બંધવનું આ મહાભિનિષ્ક્રમણ મોટા ભાઈ નંદિવર્ધનના વાત્સલ્યપૂર્ણ હૈયાને વલોવી નાખતું હતું. જીવનમાં ક્ષણ માત્ર પણ છૂટો નહિ પડનાર પોતાનો લઘુ બંધવ આજે સદાને માટે ગૃહત્યાગ કરે છે. ખરેખર, માનવની પ્રિય વસ્તુ જાય છે ત્યારે એના જીવનનું સર્વસ્વ જ લેતી જાય છે ! Jain Education International ભવનું ભાતું : ૨૩૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy