SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪. સૌન્દર્યનાં જખમ ગુલાબ એ ફૂલોના રાજા છે. એનો રંગ, રૂપ, સુગંધ, રચના અને પાંખડીઓ – બધું જ અપૂર્વ ! પણ ગુલને પોતાનું આ સૌન્દર્ય પ્રાપ્ત કરતાં પહેલાં મૂક વ્યથામાં કાંટાના કેવા જખમો સહેવા પડ્યા હશે, એ નાજુક હૃદય સિવાય કોણ જાણે ! ૨૫. આચારનાં નેત્ર જે લોકો અભણ છે, તે લોકો અંધ છે, કારણ કે એમની પાસે જ્ઞાનનાં નેત્ર નથી. એને જે લોકો ભણેલાં જ્ઞાનનાં નેત્રવાળાં છે, તે લંગડા છે, કારણ કે જાણ્યા છતાં એ આચારમાં મૂકી શકતા નથી ૨૬. વિચારોનાં પુષ્પ ભણેલો માણસ તો એને કહેવાય કે જેના વિચાર, ઉચ્ચાર અને આચાર સુંદર હોય. બગીચામાં જેમ ફૂલ ખીલે છે તેમ ભણેલાના મગજમાં સુંદર વિચારોનાં પુષ્પ ખીલવાં જોઈએ. ૨૭. નિર્ભયતા સાચો માણસ પાપ સિવાય કોઈ પણ વાતથી, કોઈ પણ ઠેકાણે ભય પામતો નથી, એ સર્વદા અભય હોય છે, કારણ કે ભય ત્યાં આવે છે, જ્યાં પાપ હોય છે. ૨૮. સંયમના કિનારા જો જીવનના કોઈ પરમ હેતુ સુધી પહોંચવું હશે તો જીવનની આસપાસ સંયમના કિનારા જોઈશે જ. જેના જીવનની અડખેપડખે સ્વનિર્મિત સંયમના કિનારા હોય છે તેવો માનવી જ પોતાના ધ્યેયક્ષેત્રને પહોંચી શકે છે. ૮ * મધુસંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy