SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ બની જાય તો તેના જેવી બીજી હીનતા કઈ ? ૫૫૩. સ્થૂલ નહિ, સૂક્ષ્મ મેં દિરામાં વમાં દેવનો ન ભૂલતો દિરમાં દેવ છે તો જ લોકો દર્શને આવે છે. પૂજારી ! મંદિરને ૫૫૪. દોષદૃષ્ટિ ચાં દાં શોધવાનું કામ તો કાગડો પણ કુશળતાથી કરે છે, માણસ પણ એ જ કામ કરશે તો પછી દુનિયામાં કાગડા કોને કહીશું ? ૫૫૫. પવિત્રતાનો પ્રભાવ ગડા તો રોજ ઊઠીને શાપ દેતા હોય છે કે બધી ધોળી વસ્તુઓ બળીને કાળા કોલસા થઈ જાઓ; પણ એ શાપ એટલો કાળો છે કે ધોળી વસ્તુઓ પાસે જતાં પણ શ૨માય છે ! કા ૫૫૬. ભણતર ને ચણતર શ્ન પૂછ્યો : ‘શા માટે ભણો છો ?' અનુભવે પરિપક્વ થયેલા વૃદ્ધ પ્રશિક્ષકના આ પ્રશ્ન પર વિદ્યાર્થીઓ ત્યારે હસી પડ્યા રે, કેવો વિચિત્ર પ્રશ્ન ! શા માટે ભણો છો ? ભણીએ નહિ તો કરીએ શું ? એટલે ભણીએ છીએ. પણ આજ લાગે છે કે એ પ્રશ્ન નાનો હતો પણ ઘણો ગહન અને મહત્ત્વનો હતો. ભણતર અને ચણતર બંને મહત્ત્વનાં જીવનઅંગ છે. ભણતરથી જેમ મનને વિશ્રામ મળે છે તેમ ચણતરથી તનને. ચણતર જેમ પલટાતી ઋતુઓમાં તનને રક્ષણ આપે છે તેમ ભણતર સુખદુ:ખથી પલટાતી જીવનઋતુઓમાં મનને રક્ષણ આપે છે. સાચી વાત છે : સાચું ભણતર જ તે છે જે માણસને સ્થિતપ્રજ્ઞ અને સ્થિરપ્રજ્ઞ બનાવે. Jain Education International ܀ ૧૭૨ ઃ મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy