SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪૫. પ્રેમ સંવેદન 0 મીનું હૃદય આરસી જેવું હોય છે. પ્રિયજનનું પ્રતિબિંબ ઝીલ્યા વિના એ જ રહી શકે જ નહિ. બિમ્બની આંખમાં આંસુ વહે તો પ્રતિબિમ્બમાં પણ વહેવું જ જોઈએ; અને હાસ્ય ફુરે તો એનો ઉત્તર પણ આરસીમાં મળવો જ રહ્યો. પ્રેમ એટલે ઉરતંત્રની પરમ ઐક્યતા. પ૪૬. પ્રેમરસ Oા દ્ધ પ્રેમ શેરડીના સાંઠા જેવો હોય છે. પ્રારંભમાં એનો ઉપરનો ભાગ - જરા ફિક્કો લાગે પણ જેમજેમ ચૈતન્યના મૂળ તરફ આગળ વધો તેમ તેમે રસની મધુરતા વધવા સાથે તેનો સ્વાદ અવર્ણનીય બનતો જાય છે ! પ૪૭. પ્રેમપ્રકાશ 0 જળીના ગોળામાં વીજળીનો તાર કેવો ફિક્કો અને શ્યામ લાગે છે, પણ એમાંથી વિદ્યુત પસાર થતાં એ જ તાર સુવર્ણરેખાની જેમ ઝળહળી ઊઠે છે પહેલાં જે પોતે જ પ્રકાશહીન હતો તે પ્રકાશવંત બની સૌને પ્રકાશિત કરે છે. આમ પ્રેમપ્રકાશનો સ્પર્શ થતાં સામાન્ય માનવી પણ અસામાન્ય બની પ્રકાશી ઊઠે છે. પ૪૮. જીવનકવિતા મજીએ તો જીવન જ એક કવિતા છે. અપદ્યાગદ્ય નહિ, પણ પદ્યબદ્ધ કવિતા છે. એમાં છંદ છે, માત્રા છે, પ્રાસ છે અને ભાવોનું સંવાદમય સંગીત પણ છે. આ જીવન-કવિતા સ્વનિયંત્રિત સંયમના છંદથી બદ્ધ છે. વળી, વિચારમાધુર્યથી જન્મેલા લયયુક્ત લાલિત્યથી પરિપૂર્ણ છે. એમાં મન, વચન અને કાયાના સંવાદમાં સંગીતની સૂરીલતા છે, તેમ અનેક ઉદાત્ત ભાવોનો આરોહ-અવરોહ પણ છે; સ્નેહનો પ્રાસ છે અને મૈત્રીની પાત્રા પણ છે. ૧૭૦ મધુસંચય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy