SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪૧. પુરુષાર્થ મારી મુશ્કેલીઓ વચ્ચે, તમારી વિપત્તિઓ વચ્ચે તમે “અરેરે' કહીને બેસી cજશો એટલે શું તે બધી આપત્તિઓ ટળી જશે ? આવા વખતે તમારી દિીનતાને છોડી પુરુષાર્થ અજમાવો. પવન તો વીંઝણામાં છે જ, પણ તેને વીંઝયા વિના તે કેમ મળે ? પ૪૨. સ્વપ્ન 3 પ્રભાત જોવા મન સ્વપ્ન સેવે જેમાં માણસ દેહ માટે નહિ, પણ દિલ માટે જીવતો હોય; ધન માટે નહિ, પણ ધર્મ માટે ઉપાર્જન કરતો હોય; પશતા માટે નહિ, પણ પ્રેમ માટે સંબંધ બાંધતો હોય; જીવનનિર્વાહ માટે નહિ, પણ નિર્વાણ માટે પ્રત્યેક પ્રવૃત્તિ કરતો હોય. ૫૪૩. બહુરૂપી કરવું ? બહુરૂપીઓનો ત્રાસ વધી ગયો છે. આત્માની પ્રેમસૌરભને ગૂંગળાવવા આજે જડતા સંયમને નામે અને વિલાસ કલાના વેશે આવી રહ્યાં છે. ૫૪૪. પ્રજ્ઞાચક્ષુ અંધ હતા. યાત્રાએ જઈ રહ્યા હતા. મેં પૂછ્યું : “ભગવાનને તો તમે - જોઈ શકવાના નથી, પછી યાત્રાએ જઈને શું કરશો ? એમણે એટલી જ નમ્રતાથી કહ્યું : “હું ભગવાનને નહિ જોઈ શકું પણ ભગવાન તો મને જોશે ને ? પ્રભુની પ્રકાશપૂત દૃષ્ટિ મને અવશ્ય પાવન કરશે.' ત્યારે મને લાગ્યું કે આનું નામ પ્રજ્ઞાચક્ષુ. : ઊર્મિ અને ઉદધિ ૧૯ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy