SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૮. તપ ૫ એટલે અનેક પ્રકારની સહનશીલતા. સુખડને જેમ જેમ ઘસીએ તેમ ત.તેમ તેમાંથી શીતળતા અને સૌરભ મળે. એવી જ રીતે આપણા દેને, આપણી જાતને, કોઈ શુભ હેતુ માટે ઘસી નાખીએ અને તેમાંથી જે સૌરભ પ્રસરે એ જ સાચું તપ, ૫૨૯. તપસ્વી ચા રે બાજુ કષાયના અગ્નિની જ્વાળાઓ ભભૂકતી હોય છતાં તેની વચ્ચે પણ આત્માને સતત શીતલ રાખી શકે તે જ ખરો તપસ્વી. ૫૩૦. ધર્મ ધર્મ ર્મ કોઈ માત્ર પુસ્તકમાં નથી, પણ હૃદયમાં છે. આપણા જ જીવનમાં એ સમાયેલો છે અને આપણા જ આચરણમાં એ વંચાય છે. ૫૩૧. વિજય વિ જયના બે જ માર્ગ છે : કાં શક્તિ કાં ભક્તિ. આ બેમાંથી એકેય જેની પાસે નથી તેનો ત્રીજો માર્ગ છે વિનતિ-વિનાશ. Jain Education International ܀ ૫૩૨. જીવનનો જાણકાર નુષ્ય એ કોઈ જંગલમાં ફરનારું રોઝ જેવું પ્રાણી નથી; એ સમાજ વચ્ચે નરહેનાર પ્રાણી છે. એ સહકારથી ટકે છે અને સંયોગોને આધીન રહી જીવે છે. બધું જ કંઈ એ પોતાની જ ઇચ્છા પ્રમાણે કરી શકતો નથી. એનેય સંયોગોરૂપી ઘાણીએ જોડાઈ આંટા મારવા પડે છે; અને છતાં આવા ગૂંચવણભર્યા સંયોગોના ચક્કરમાં પણ પોતાની જાતને જે જાળવી શકે અને મન ઉ૫૨ કાબૂ રાખી પોતાના ધ્યેય પ્રતિ ગતિ ચાલુ રાખી શકે તે જ જીવનનો જાણકાર. ૧૬૬ * મધુસંચય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy