SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૩. વાસના જ્યાં વાસના છે ત્યાં ભય છે; જ્યાં ભય છે ત્યાં પરતંત્રતા છે. જે માણસને પોતાના મન ઉપર કાબૂ નથી તે માણસ ગમે તેટલી સ્વતંત્રતાની વાતો કરે, છતાં તે પરતંત્ર જ છે. જે મનુષ્ય વાસનાના વમળમાં પોતાના આત્માને ભૂલી ગયો છે તેને સ્વતંત્ર કઈ રીતે કહી શકાય ? ૫૩૪. સંકલ્પ સ કલ્પ એ તો જીવનનો પાયો છે. કોઈ પણ દૃઢ કાર્ય સંકલ્પ સિવાય જીવનમાં ટકી શકતું નથી. સંકલ્પબળ વિના બહુ ઊંચે ચડેલો મનુષ્ય પણ નીચે પડે છે. અને એ પડે છે ત્યારે તેન' ચૂરેચૂરા થઈ જાય છે. ઊંધે ચડેલાને ટકાવનાર સંકલ્પ છે. જેમ જેમ ઊંચે જાઓ તેમ તેમ સંકલ્પનું ભાથું સાથે લેતા જજો. ૫૩૫. ધન અને માણસ એ બની આમાંથી પૈસો જાય એટલે માણસના મુખનું નૂર અને રોશની પણ જતાં રહે છે. આહ ! માણસ ધનનો સ્વામી ગણાતો તેને બદલે ધન માણસના સ્વામીપદે સ્થપાયું ! ૫૩૬. પૈસો સો એ એવી જાદુઈ ગોળી બની બેઠો છે કે ભલભલાઓની બુદ્ધિને એ વીંધી નાખે છે. પણ એ ભૂલવું જોઈએ નહિ કે પૈસાનાં પ્રલોભનો સામે અડગ રહેનારને તો કાળ પણ નમન કરે છે. એ Jain Education International ઊર્મિ અને ઉદધિ ૧૬૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy