SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૬. ઊંડાણ વિશ્વ શ્વની આટલી બધી વાતોને સમાવવા તમારું હૃદય કેટલું ઊંડું હોવું જોઈએ ? જ્યારે તમારા હૃદયનું ઊંડાણ--ગાંભીર્ય માપવા કોઈ શક્તિશાળી પણ સમર્થ નહિ બને ત્યારે જ એ હૃદય જગતની કલ્યાણમય વસ્તુઓ જીરવી શકવા સમર્થ બનશે. ૫૧૭. પ્રાણ સીંચો મે મોટાં મોટાં કાર્યો કરી થાકી ગયા છો, શુષ્ક થઈ ગયા છો તો હવે તેનાનાં કાર્યોનો પ્રારંભ કરો, જે એની મેળે જ મોટાં બની જાય. પણ શરત એક છે : તમે તમારાં એ કાર્યમાં તમારા પ્રાણ સીંચો; તમારું સ્વાર્પણ કરી દો; પછી જુઓ કે એ નાનાં કાર્ય કેવાં મોટાં થાય છે અને તમારા શુષ્ક જીવનને કેવું સ-રસ અને સુમધુર બનાવે છે ! સ્વાર્પણના નાના બીજમાં જ કાર્યનો વડલો સંતાયેલો છે. ૫૧૮. પ્રેમ મ એટલે સ્વાર્પણ; પ્રેમ એટલે બદલાની અપેક્ષા વિના સાકરની જેમ ઓગળી જવું અને મીઠાશ પ્રસરાવવી. પ્રેમની આવી ધારા જે હૃદયમાં વહ્યા કરતી હોય એ હૃદય કેટલું મધુર હોય ! આર્દ્રતા અને પરમ શાન્તિની એ પળો પણ કેટલી મધુર અને પ્રેરણાદાયી હોય ! ૫૧૯. શુષ્ક જીવન જે ના જીવનમાં પ્રભુપ્રેમ કે પ્રેમભરી નિષ્ઠા નથી તેનું જીવન શુષ્ક છે, લૂખું છે. એ બહાર ગમે તેટલો હસશે પણ એનો આત્મા તો આનંદ જ કરતો હોય છે; એનાં આંસુ લૂછનાર પણ કોઈ નથી હોતું. Jain Education International ઊર્મિ અને ઉદધિ : ૧૬૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy