SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨. એકરાર થપનું પ્રાયશ્ચિત્ત કરનાર, પોતાની ભૂલોનો એકરાર કરનાર દુનિયાના - મહાનોમાં મહાન છે; દુનિયાના શક્તિશાળીઓમાં શક્તિશાળી છે. કપટરહિત ભૂલોના એકરારમાં જ જીવનની મહત્તા, શક્તિ ને પવિત્રતા છે. પ૧૩. પીછેહઠ વિત્રતાના પંથે એક ડગલું પણ ભર્યા પછી પીછેહઠ કરવી એ જીવનનું મોટામાં મોટું પાપ છે. જો તમારામાં આગળ ધપવાની શક્તિ ન હોય તો ત્યાં ને ત્યાં જ ઊભા રહો, ને શક્તિ મેળવીને મક્કમતાપૂર્વક આગળ વધો, પણ આગળ જઈને પાછા તો ન જ વળો. ૫૧૪. તારલી - લે એ પાપીમાં પાપ હૃદય હશે, તે હૃદયમાં ભલે ગમે તેટલું અંધારું હશે, “તોપણ એક એવી નાની તારલી, છૂપી છૂપી પણ, તે હૃદયાકાશમાં ટમટમતી જ હશે, જે એને કોક વાર જરૂર પ્રકાશ આપશે. પ૧૫. મિથ્યા અભિમાન ટો ઈ એમ સમજતું હોય કે મારાથી જ દુનિયા ચાલે છે, તો તે ખોટું છે, તે તેનો ભ્રમ છે. દુનિયા તો એમ કહે છે કે, તારી મારે જરાય જરૂર નથી, પણ તારે મારી જરૂર હોય તો અહીં રહે. અહીં સૌ પોતાની શક્તિથી જ જીવે છે; દરેક મનુષ્ય પોતાના જ કર્તવ્ય ઉપર, પોતાના જ બળ ઉપર ને પોતાના જ ભાગ્ય ઉપર ઊભો હોય છે. અમારાથી જ બીજા ટકેલા છે એમ તમે માનતા હો તો તે નર્યું અજ્ઞાન છે, અને મિથ્યા અભિમાન પણ છે. ૧૬ર મધુસંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy