SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ હા, તારા હૃદયખંડને અલંકૃત કરવા તેં એક કાવ્યમય ચિત્ર ટાંગ્યું હતું ખરું, પણ આજ તો તેય ઝાંખું થવા આવ્યું છે. આ સંધ્યા નમે તે પહેલાં તારા પ્રાણમાં ચૂંટાયેલા ભાવોના રંગની એક પીંછી તું એના પર ન ફેરવી શકે ? જેથી અંધારી રજનીમાં પણ, સુવાસિત તેલના દીપકોના પ્રકાશમાં એ ફરી ઝળહળી શકે ! --- ܀ ૫૦૮. લય હૃદય પોતાની ચેતનાને વસ્તુ સાથે એકાકાર કરી શકે છે, પ્રાપ્તિની વસ્તુમાં નિષ્ઠાભરી તન્મયતા કેળવી શકે છે, તે આ વિશ્વમાં એવું શું છે જે મેળવી ન શકે ? ૫૦૯. માણસ ણસ તેનું નામ, જે પોતાના નિયમો પ્રત્યે વજ્રથી પણ કઠોર રહે અને મા બીજાની વેદના વખતે ફૂલથી પણ કોમળ બને. Jain Education International ܀ ૫૧૦. આશિષ તરની આશિષ તો કોઈ ગજબની હોય છે. પાણીમાંથી ઉત્પન્ન થતી વીજળી કેવી ગજબની હોય છે ! અંધકારના અનંત થરને પણ એ બાળી મૂકે છે ને ! અં ૫૧૧. જીવનરથ ર્તવ્ય પૂર્ણ કરવાની ઇચ્છા છે, સેવા કરવાની ઝંખના છે, ઉપાડેલાં કાર્યોના અંત સુધી જવાની શ્રદ્ધા છે, તજીને ખાવાની ભાવના છે, અને નિંદા સ્તુતિ પ્રસંગે કાન બંધ કરી ચાલ્યા જવાની ટેવ છે. આજ સુધી તો આ રાતે જીવનરથ ચાલ્યો જાય છે; અને હવે મુકામ પણ ક્યાં દૂર છે ! ઊર્મિ અને ઉદધિ : ૧૬૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy