SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ છે અને પ્રલોભન સામે અડોલ રહે છે તે જ્ઞાનનું જ્ઞાન રત્નજ્યોત જેવું છે, બળવાન વંટોળિયા વચ્ચે પણ તે પોતાનું કાર્ય કર્યું જ જાય છે. આ જ્ઞાન એ જ જીવનશિખર છે; બાકી પુસ્તક વાંચીને કે શ્લોકો ગોખીને તો ઘણાય જ્ઞાની બની ફરે છે. આવાઓ બહારથી જ્ઞાની, પણ અંદર નિર્માલ્ય હોય છે.” ૫૦૩. શૂરવીર ગતમાં શૂરવીર કોણ ? બેચારને પછાડી મારી નાખે તે નહિ, પણ મનને જ આવેશના વમળમાં જતું અટકાવે તે જ સાચો શૂરવીર. ૦૪. અસંગ કોઈનો નથી તે જ બધાનો બની શકે છે. જગતના મહાપુરુષો કોઈના O નથી; તેઓ બધાના જ છે. ૫૦૫. સત્યનિષ્ઠ મનુષ્ય જીવનભર સત્યનિષ્ઠ રહે છે તેને જીવનમાં શી શી સિદ્ધિઓ નથી મળતી ? દુષ્ટો પણ એના ઉપર વિશ્વાસ રાખે એ શું ઓછી સિદ્ધિ છે ? ૫૦૬. શાન્તિ તમે શાંતિની સમશેર લઈને ફરશો તો તમારો વિજય નક્કી જ છે; તમને કોઈ જ પરાજિત નહિ કરી શકે. ૫૦૭. સંધ્યાટાણે ચિત્રકાર ! જોનારના દિલનેય રંગ લાગી જાય એવા નાજુક રંગોથી તેં વિશ્વને આલેખ્યું, પણ તારા દિલનું દીવાનખાનું તો શુન્ય લાગે છે. ૧૬૦ * મધુસંચય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy