SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦. દયામધુરી , ભો ! તારી દયામાધુરી વિના તો આ જીવન પણ શૂન્ય લાગે છે. આવા પ્રેમવિહોણા સૂકા રણ જેવા જીવન કરતાં તો મૃત્યુ મધુર લાગશે ! ૪૯૧. આંબો અને થોર બાને વાવો તો એને ઊગતાં વાર લાગે; પણ થોરને ઊગતાં કેટલી વાર ? એને પાણી કે ખાતરની પણ જરૂર નહિ. એ તો વગર ખાતરે ને વગર પાણીએ વધ્યે જ જાય. સદ્ગુણોનું પણ તેમ જ છે. સદ્દગુણને આવતાં વાર લાગે; પણ દુર્ગણો તો પ્રત્યેક પળે આપણી આસપાસ આંટા મારતા જ હોય છે; એને આવતાં કેટલી વાર ? છતાં, બગીચાની મધ્યમાં સ્થાન મળે છે આંબાને, થોરને નહિ ! થોરને તો કિનારે જ તપવાનું. વળી, પથિકોને શાંતિ પણ આમ્રથી જ મળશે, થોરથી નહિ. ૪૯૨. શાન્તિની ચાવી , મે શું એમ માનો છો કે આળસુ બનીને પડ્યા રહેવાથી તમને શાંતિ મળશે ? શાંતિ તો તમારા પુરુષાર્થમાં છે – તમારા શાંત, બુદ્ધિપૂર્વકનાં ઉચિત કાર્યોમાં છે. કર્તવ્ય વિના શાંતિનો જાપ જપનારને તો શાંતિને બદલે અશાન્તિ જ મળે છે. ૪૯૩. ધર્મનો મર્મ આ ર્મ એટલે મૈત્રી -- જીવમાત્ર પ્રત્યે પ્રેમ કરો. ધર્મ એટલે પ્રમોદ – પુરુષોનો સત્કાર કરો. ધર્મ એટલે કારુણ્ય – દુઃખી અને વિમાર્ગી પ્રત્યે હમદર્દી બતાવો. ધર્મ એટલે માધ્યસ્થ -- હૈયામાં પ્રેમનો દીપક લઈ માર્ગ ભૂલેલાઓને સુધારવાનો પ્રયત્ન કરવા છતાંય ન સુધરે તોય એના પ્રત્યે સમભાવ ધરો. ઊર્મિ અને ઉદધિ ૧૫૭ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy